Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:36 - પવિત્ર બાઇબલ C.L.

36 તારે તેમનાં પાપની ક્ષમા અર્થે દરરોજ વાછરડાનો બલિ ચડાવવો. તેથી વેદી શુદ્ધ થશે. પછી વેદીનું સમર્પણ કરવા માટે તેનો ઓલિવ તેલ વડે અભિષેક કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને તું દરરોજ પાપાર્થાર્પણનો વાછરડો પ્રાયશ્ચિત માટે ચઢાવ; અને તું વેદીને માટે પ્રાયશ્ચિત કરે ત્યારે તેને તું શુદ્ધ કર; અને તેને પવિત્ર કરવાને માટે તું તેને અભિષિક્ત કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 દરરોજ પાપાર્થાર્પણ માટે એક વાછરડાનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિત વિધિ કરવાથી તું એને પાપમુક્ત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરીને વેદીને પવિત્ર બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 દરરોજ પ્રાયશ્ચિત વિધિ માંટે એક બળદનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિતવિધિ કરવાથી તું એને પાપમુકત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરી અને પવિત્ર બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:36
14 Iomraidhean Croise  

તું મંડપ, સાક્ષ્યલેખની કરારપેટી, મેજ તથા તેની સર્વ સામગ્રી, દીપવૃક્ષ તથા તેની સર્વ સામગ્રી, ધૂપવેદી, યજ્ઞવેદી તથા તેની સર્વ સામગ્રી અને જળકુંડ તથા તેની સર્વ સામગ્રીનો અભિષેક કરવા માટે એ તેલનો ઉપયોગ કર.


તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું.


સાત દિવસ સુધી પ્રતિદિન પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે એક બકરો, એક વાછરડો અને એક ઘેટો ચડાવવા. તેઓ સર્વ ખોડખાંપણ વગરના હોવા જોઈએ.


જ્યારે એ સાત દિવસો પૂરા થાય ત્યારે એટલે કે, આઠમા દિવસથી યજ્ઞકારો વેદી પર લોકોનાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાનું શરૂ કરે, એટલે, હું તમારો અંગીકાર કરીશ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવેલ આખલો અને બકરો કે જેમનું રક્ત પરમ પવિત્રસ્થાનમાં પાપ દૂર કરવાને માટે લઈ જવામાં આવ્યું હતું તેમને છાવણી બહાર લઈ જવા. તેમનું ચામડું, માંસ તથા આંતરડાં બધું જ બાળી મૂકવું.


મોશેએ જે દિવસે મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય પૂર્ણ કર્યું તે જ દિવસે તેણે મંડપનો, તેના સર્વ સરસામાનનો તથા વેદી અને તેનાં બધાં પાત્રોનો અભિષેક કર્યો અને તે બધાં પ્રભુને સમર્પિત કર્યાં.


દરેક યહૂદી યજ્ઞકાર ઊભો રહીને પોતાની સેવા દરરોજ બજાવે છે અને એકનાં એક બલિદાનો ઘણીવાર આપે છે. પરંતુ આ બલિદાનો કદી પાપ દૂર કરી શકે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan