Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:29 - પવિત્ર બાઇબલ C.L.

29 “આરોનના મૃત્યુ પછી તેનાં યજ્ઞકારનાં વસ્ત્રો તેના પુત્રોને આપવામાં આવે; જેથી તેમની અભિષેકપૂર્વકની દીક્ષા વખતે તેઓ તે પહેરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને હારુનનાં પવિત્ર વસ્‍ત્રો તેની પછીના તેના દીકરાઓને માટે થાય કે, તેઓ તે પહેરીને અભિષિક્ત તથા પ્રતિષ્ઠિત થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં અને હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને તે વારસામાં આપવાં. પેઢી દર પેઢી તેઓ પોતાની અભિષેકની દીક્ષાવિધિ વખતે તે પહેરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં. હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને વારસામાં મળે. પેઢી દર પેઢી તેઓ તેમની પોતાની અભિષેકની દીક્ષા વિધિ વખતે તે પહેરે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:29
14 Iomraidhean Croise  

તમે આરોનના વંશજો, પ્રભુના યજ્ઞકારોને હાંકી કાઢયા અને લેવીઓને પણ હાંકી કાઢયા. તેમની જગ્યાએ તમે અન્ય પ્રજાઓ કરે છે તેમ યજ્ઞકારો નીમ્યા છે; એક વાછરડો અને સાત ઘેટાં લાવીને પોતાનું સમર્પણ કરે તેવા કોઈને પણ તમે તમારા કહેવાતા દેવોનો યજ્ઞકાર નીમો છો.”


તારા ભાઈ આરોન માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવ; તે તેને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્રો બને.


જ્યારે મારા ઇઝરાયલી લોકો મને સંગતબલિ ચડાવે ત્યારે બલિના સીનાનો અને જાંઘનો ભાગ યજ્ઞકારોને ફાળે જાય; આ મારી કાયમી વ્યવસ્થા છે. એ તો લોકોએ મને પ્રભુને ચડાવેલી ભેટ છે.


આરોન પછી તેને સ્થાને યજ્ઞકાર બનીને મુલાકાતમંડપમાં પવિત્રસ્થાનમાં સેવા કરવા જનાર તેનો પુત્ર સાત દિવસ સુધી એ વસ્ત્રો પહેરે.


પછી આરોન અને તેના પુત્રોનો અભિષેક કર અને મારી સેવામાં તેમને યજ્ઞકાર તરીકે દીક્ષા આપ.


પછી જેવી રીતે તેમના પિતાનો અભિષેક કર્યો તે જ રીતે તેમનો પણ અભિષેક કર; જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. આ અભિષેક દ્વારા તેઓ અને તેમના વંશજોને પેઢી દરપેઢી કાયમી ધોરણનું યજ્ઞકારપદ પ્રાપ્ત થશે.”


પાપ દૂર કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો આ વિધિ પોતાના પિતાને સ્થાને વિધિપૂર્વક અભિષિક્ત થઈ પદપ્રતિષ્ઠા પામેલા પ્રમુખ યજ્ઞકારે જ કરવો. તેણે યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત પવિત્ર વસ્ત્રો પહેરવાં,


પ્રભુએ મોશેને કહ્યું,


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું.


સમાજે એ ખૂનીનું મરનારના સૌથી નિકટના સગાથી રક્ષણ કરવું અને જે આશ્રય નગરમાં તે નાસી છૂટયો હોય ત્યાં તેને પાછો પહોંચાડવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી તેણે તે આશ્રયનગરમાં જ રહેવું.


Lean sinn:

Sanasan


Sanasan