Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:28 - પવિત્ર બાઇબલ C.L.

28 જ્યારે મારા ઇઝરાયલી લોકો મને સંગતબલિ ચડાવે ત્યારે બલિના સીનાનો અને જાંઘનો ભાગ યજ્ઞકારોને ફાળે જાય; આ મારી કાયમી વ્યવસ્થા છે. એ તો લોકોએ મને પ્રભુને ચડાવેલી ભેટ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તે હારુનનો તથા તેના દીકરાઓનો ઇઝરાયલીઓ પાસેથી સદાનો હક થશે; કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે. અને તે ઇઝરાયલી લોકો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાને માટે તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તે હારુનનો તથા તેના પુત્રોનો ઇઝરાયલ પુત્રો પાસેથી સદાનો નિયમ થશે. કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે; અને તે ઇઝરાયલપુત્રો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞોનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાહને સારુ તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 માંરા શાશ્વત નિયમાંનુસાર એ હારુનને અને તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો હિસ્સો છે; કારણ કે ઇસ્રાએલીઓએ શાંત્યર્પણમાંથી યહોવાને ધરાવેલી એ ભેટ છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:28
18 Iomraidhean Croise  

તારા ભાઈ આરોન માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવ; તે તેને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્રો બને.


“જ્યારે યજ્ઞકારની દીક્ષા થાય ત્યારે દીક્ષામાં વપરાતા ઘેટાનો સીનો અને તેની જાંઘ મને આરતીરૂપે અર્પણ કરવામાં આવે અને તે પછી આરોન તથા તેના પુત્રો એટલે યજ્ઞકારો માટે તે અલગ કરવામાં આવે.


“આરોનના મૃત્યુ પછી તેનાં યજ્ઞકારનાં વસ્ત્રો તેના પુત્રોને આપવામાં આવે; જેથી તેમની અભિષેકપૂર્વકની દીક્ષા વખતે તેઓ તે પહેરે.


“જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.


તમારે નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવાની છે. આ નિયમ હંમેશને માટે લાગુ પડે છે.”


કારણ, ઇઝરાયલીઓ મને જે દશાંશ ખાસ અર્પણ તરીકે ચડાવે તે હું લેવીઓને વારસા તરીકે આપું છું. તેથી જ મેં તેમને કહ્યું છે કે ઇઝરાયલમાં બીજાની માફક તમને વારસો મળશે નહિ.”


તમને મળેલા બધા દસમા ભાગમાંથી ઉત્તમોત્તમ દસમો ભાગ અલગ કરીને પ્રભુને આપવો.


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું.


મોશેએ આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લીધાં અને તે તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર ઉપર આરોન મૃત્યુ પામ્યો, અને મોશે તથા એલાઝાર પર્વત પરથી પાછા આવ્યા.


સૈનિકોના અર્ધ ભાગમાંથી પ્રભુને માટે ઉચ્છાલિતઅર્પણ તરીકે તે યજ્ઞકાર એલાઝારને આપી દો.


પ્રભુએ ફરમાવ્યા પ્રમાણે મોશેએ પ્રભુના ઉચ્છાલિતઅર્પણ તરીકેનો ભાગ યજ્ઞકાર એલાઝારને આપી દીધો.


અને વ્યક્તિ યજ્ઞકારને જે કંઈ પવિત્ર ભેટ અર્પણ કરે તે પણ યજ્ઞકારની જ ગણાય.”


ઇઝરાયલી લોકો પવિત્ર વસ્તુઓના વિશિષ્ટ હિસ્સાનું અર્પણ યજ્ઞકાર પાસે લાવે તો તે યજ્ઞકારનું થાય,


ત્યાર પછી યજ્ઞકારે એ વસ્તુઓનું પ્રભુની આગળ આરતી ઉતારીને આરતીઅર્પણ કરવું. આ વસ્તુઓ પવિત્ર અર્પણમાં યજ્ઞકારનો હિસ્સો છે. તે ઉપરાંત આરતીઅર્પણનો છાતીનો ભાગ અને વિશિષ્ટ હિસ્સાના અર્પણના પગનો ભાગ પણ યજ્ઞકારનો ગણાય. આ વિધિ પૂરો થયા પછી નાઝીરીને ફરીથી દ્રાક્ષાસવ પીવાની છૂટ છે.”


“જ્યારે લોકો ઢોરઢાંકમાંથી કે ઘેટાંબકરાંમાંથી પ્રાણીનું બલિદાન ચડાવે ત્યારે તેમણે યજ્ઞકારોને તેમના હિસ્સા તરીકે બાવડું, ગલોફાં અને હોજરી આપવાં.


Lean sinn:

Sanasan


Sanasan