Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:27 - પવિત્ર બાઇબલ C.L.

27 “જ્યારે યજ્ઞકારની દીક્ષા થાય ત્યારે દીક્ષામાં વપરાતા ઘેટાનો સીનો અને તેની જાંઘ મને આરતીરૂપે અર્પણ કરવામાં આવે અને તે પછી આરોન તથા તેના પુત્રો એટલે યજ્ઞકારો માટે તે અલગ કરવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને પ્રતિષ્ઠાના ઘેટાની આરત્યર્પણવાળી છાતી તથા ઉચ્છાલીયાર્પણવાળો ખભો, જેની આરતી કરવામાં આવે છે ને જે ઉછાળાય છે, એટલે જે હારુન તથા તેના દીકરાઓને હિસ્સે આવેલું છે તે તું પવિત્ર કર;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલાં અને જેના વડે ઉપાસના કરાઈ છે તે અને ભેટ ધરાવેલી ઘેટાંની છાતી અને જાંઘ તારે યાજકો માટે પવિત્ર કરીને અલગ રાખવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માંટે વપરાયેલા, જેના વડે ઉપાસના કરી છે તે, અને ભેટ ધરાવેલી છાતી અને જાંધ તારે યાજકો માંટે અલગ રાખવાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:27
14 Iomraidhean Croise  

“પછી દીક્ષાબલિના ઘેટાનો સીનો લઈને તું તેનું આરતીરૂપે મને અર્પણ કર. પ્રાણીઓનો એ ભાગ તારો હિસ્સો થશે.


જ્યારે મારા ઇઝરાયલી લોકો મને સંગતબલિ ચડાવે ત્યારે બલિના સીનાનો અને જાંઘનો ભાગ યજ્ઞકારોને ફાળે જાય; આ મારી કાયમી વ્યવસ્થા છે. એ તો લોકોએ મને પ્રભુને ચડાવેલી ભેટ છે.


પ્રભુને યજ્ઞાપર્ણ કરતી વખતે ચરબી દહન કરવા લાવવામાં આવે ત્યારે તે સાથે છાતીનો ભાગ અને પાછલા પગ પણ લાવવા. આ ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે તારો અને તારાં સંતાનોનો કાયમનો હિસ્સો છે.”


તેણે જાતે જ તે ભાગનું અર્પણ લઈને આવવું. તેણે પ્રાણીની છાતીના ભાગ સાથે ચરબી લાવીને પ્રભુને તેનું અર્પણ કરવું.


આ બધા દહનબલિ, ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ, દોષનિવારણબલિ, પદપ્રતિષ્ઠાબલિ તથા સંગતબલિ અંગેના નિયમો છે.


અને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રાણીઓની છાતીના ભાગ અને જમણા પગ યજ્ઞકારોને પ્રભુ તરફથી ખાસ ભેટ તરીકે આપ્યા.


“એ ઉપરાંત ઇઝરાયલીઓ તેમનાં બધાં અર્પણોમાંથી વિશિષ્ટ હિસ્સાના અર્પણનો અને આરતીઅર્પણનો જે હિસ્સો તેઓ મને ચડાવે તે પણ તારો જ ગણાશે. એ બધું હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને કાયમના હક્ક તરીકે આપું છું. તારા કુટુંબમાં જે શુધ હોય તે ખાય.


ત્યાર પછી યજ્ઞકારે એ વસ્તુઓનું પ્રભુની આગળ આરતી ઉતારીને આરતીઅર્પણ કરવું. આ વસ્તુઓ પવિત્ર અર્પણમાં યજ્ઞકારનો હિસ્સો છે. તે ઉપરાંત આરતીઅર્પણનો છાતીનો ભાગ અને વિશિષ્ટ હિસ્સાના અર્પણના પગનો ભાગ પણ યજ્ઞકારનો ગણાય. આ વિધિ પૂરો થયા પછી નાઝીરીને ફરીથી દ્રાક્ષાસવ પીવાની છૂટ છે.”


“જ્યારે લોકો ઢોરઢાંકમાંથી કે ઘેટાંબકરાંમાંથી પ્રાણીનું બલિદાન ચડાવે ત્યારે તેમણે યજ્ઞકારોને તેમના હિસ્સા તરીકે બાવડું, ગલોફાં અને હોજરી આપવાં.


મોશેનો નિયમ પ્રમુખ યજ્ઞકાર તરીકે અપૂર્ણ માનવોને નીમે છે. પરંતુ નિયમ પછી આવેલું ઈશ્વરનું શપથપૂર્વકનું વચન, સર્વકાળ માટે સંપૂર્ણ બનાવવામાં આવેલા પુત્રને પ્રમુખ યજ્ઞકાર તરીકે નીમે છે.


તેથી રસોઈયાએ જાંઘનો માંસલ ટુકડો શાઉલ આગળ પીરસ્યો. શમુએલે કહ્યું, “જો, આ ટુકડો તારે માટે રાખી મૂક્યો હતો. જમી લે. કારણ, મેં આમંત્રિત લોકો સાથે આ સમયે તારે જમવા માટે તે રાખી મૂક્યો હતો.” એમ શાઉલ તે દિવસે શમુએલ સાથે જમ્યો.


Lean sinn:

Sanasan


Sanasan