Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પરંતુ વાછરડાનું માંસ, ચામડું અને તેનાં આંતરડાંને છાવણી બહાર અગ્નિમાં બાળી નાખવાં. એ તો યજ્ઞકારો માટેનો પ્રાયશ્ર્વિત બલિ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ વાછરાનું માંસ તથા તેનું ચામડું તથા તેનું છાણ તું છાવણી બહાર અગ્નિથી બાળી નાખ; તે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પરંતુ વાછરડાના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:14
22 Iomraidhean Croise  

પછી યજ્ઞકારોએ બકરા કાપ્યા અને સર્વ લોકોનાં પાપ દૂર કરવા માટે બલિદાન તરીકે તેમનું રક્ત વેદી પર રેડી દીધું, કારણ, રાજાએ સર્વ ઇઝરાયલને માટે દહનબલિ અને પાપનિવારણબલિ ચડાવવાનો હુકમ કર્યો હતો.


દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ ઇઝરાયલના ઈશ્વરને દહનબલિ ચડાવ્યા. બધા ઇઝરાયલીઓ માટે બાર આખલા, છન્‍નું ઘેટા અને સિત્તોતેર હલવાનો તેમ જ પ્રાયશ્ર્વિત નિવારણ બલિ માટે બાર બકરા એ બધાં પ્રાણીઓ પ્રભુને દહનબલિ તરીકે ચડાવવામાં આવ્યાં.


વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.”


ત્યાર પછી પ્રાયશ્ર્વિતબલિ માટેના જુવાન આખલાને લેવો અને તેને પવિત્રસ્થાનથી બહાર, મંદિરના નિર્ધારિત સ્થળે બાળવો.


“આરોન પોતાના અને પોતાના કુટુંબ માટે પ્રાયશ્ર્વિતબલિનો આખલો ચડાવે,


પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવેલ આખલો અને બકરો કે જેમનું રક્ત પરમ પવિત્રસ્થાનમાં પાપ દૂર કરવાને માટે લઈ જવામાં આવ્યું હતું તેમને છાવણી બહાર લઈ જવા. તેમનું ચામડું, માંસ તથા આંતરડાં બધું જ બાળી મૂકવું.


પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલો અને દહનબલિ તરીકે ઘેટો લાવ્યા પછી જ તેણે પરમપવિત્રસ્થાનમાં આવવું.”


ત્યાર પછી પોતાનાં પાપને માટે ચડાવેલા આખલાનું યજ્ઞકારે જેમ કર્યું હતું તેમ તેણે આ આખલાને પણ છાવણી બહાર લઈ જઇ બાળી મૂકવો. સમાજનાં પાપ દૂર કરવાને માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.


ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.


તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી.


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


“જ્યારે કોઈ માણસ પ્રાયશ્ર્વિતબલિ તરીકે ઘેટાંમાંથી અર્પણ ચડાવે તો તે ખોડખાંપણ વગરની ઘેટી હોવી જોઈએ.


અને પોતાનું પાપ દૂર કરવા માટે તે પ્રભુ સમક્ષ દોષનિવારણ બલિ લાવે તો તેમાં તેણે પ્રભુને ઘેટી કે બકરી ચડાવવી અને યજ્ઞકાર તેના પાપ માટે પ્રાયશ્ર્વિત કરે.


તેણે તેમને યજ્ઞકાર પાસે લાવવાં. સૌપ્રથમ યજ્ઞકાર પ્રાયશ્ર્વિત બલિ માટે પક્ષી ચડાવે. તેણે તેની ડોક મરડી નાખવી; પણ એવું કરતાં તેનું માથું અલગ પડવા દેવું નહિ.


તેણે આખલાનું બાકીનું બધું એટલે તેનું ચામડું, માંસ અને છાણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકાયું.


તેણે આરોનને કહ્યું, “તું ખોડખાંપણ વગરના એક વાછરડાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને ખોડખાંપણ વગરના એક ઘેટાનું દહનબલિ તરીકે પ્રભુને બલિદાન કર.


હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે.


પછી વાછરડીનાં ચામડાં, માંસ, લોહી અને આંતરડા સાથે તેનું યજ્ઞકારની હાજરીમાં દહન કરવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan