Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:39 - પવિત્ર બાઇબલ C.L.

39 “તું આરોનનો ડગલો ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેની પાઘડી પણ ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેનો કમરપટ્ટો ઝીણા અળસી રેસામાંથી અને ભરત ભરેલો બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને તું ચોકડીવાળો અંગરખો ઝીણા શણનો વણ, ને તું ઝીણા શણની પાધડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 “હારુનનો ડગલો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને કમરપટા ઉપર સુંદર જરીકામ કરેલું હોય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:39
10 Iomraidhean Croise  

તેને જરીબુટ્ટીવાળાં વસ્ત્રોમાં રાજાની પાસે લઈ જવાય છે; તેની પાછળ પાછળ તેની કુમારી સહેલીઓ જાય છે.


“મંડપના પ્રવેશદ્વાર માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી ભરત ભરેલો પડદો બનાવવો.


આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો 9 મીટર લાંબો અને વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાનો તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો તથા ભરત ભરેલો હોવો જોઈએ. તે ચાર સ્તંભોમાં લટકાવેલો હોય. આ સ્તંભો ચાર કૂંભીઓમાં ગોઠવેલા હોય. તેની કડીઓ ચાંદીની અને કૂંભીઓ તાંબાની બનાવવી.


તું તેમને ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, ભરત ભરેલો ડગલો, પાઘડી અને કમરપટ્ટો બનાવવાનું કહે. તેઓ તારા ભાઈ આરોન તથા તેના પુત્રો માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવે; જેથી તેઓ મારી સન્મુખ યજ્ઞકાર તરીકે સેવા કરી શકે.


પછી આરોનને યજ્ઞકારનાં વસ્ત્રો, એટલે ડગલો, એફોદ નીચે પહેરવાનો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને નિપુણ કારીગીરીથી ગૂંથેલો કમરપટ્ટો પહેરાવવાં.


પછી તેને પાઘડી પહેરાવીને તેના પર ‘યાહવે સમર્પિત’ એવા શબ્દો કોતરેલ પવિત્ર મુગટ પહેરાવવો.


“વળી, તેમના પુત્રોને લાવીને તેમને ડગલા પહેરાવવા;


તેમણે આરોન તથા તેના પુત્રો માટે અળસીના ઝીણા કાંતેલા રેસામાંથી સફેદ ડગલા,


ત્યાર પછી પ્રભુએ નીચેની સૂચનાઓ આપી: “પરમપવિત્રસ્થાનમાં દાખલ થતાં પહેલાં આરોને સ્નાન કરવું અને પોતાનાં યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત અને પવિત્ર વસ્ત્રો એટલે ડગલો, જાંઘિયો, કમરપટ્ટો અને પાઘડી પહેરવાં.


પછી યજ્ઞકારે અળસી રેસાનાં વસ્ત્રનો શ્વેત ઝભ્ભો અને જાંઘિયો પહેરીને યજ્ઞવેદી પરથી દહન થઈ ગયેલા અગ્નિબલિની રાખ લઈ લેવી અને તેને વેદીની બાજુમાં મૂકવી.


Lean sinn:

Sanasan


Sanasan