Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:37 - પવિત્ર બાઇબલ C.L.

37 વળી, દીપવૃક્ષ માટે સાત દીવા બનાવવા અને દીપવૃક્ષની મોખરે પ્રકાશ પડે એ રીતે તેમને ગોઠવવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 વળી તેના તું સાત દીવા બનાવજે; અને તેની આગળ અજવાળું આપવા માટે તેઓ દીવા સળગાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 દીવી માંટે સાત કોડિયાં બનાવવાં અને એવી રીતે ગોઠવવાં કે તેમનો પ્રકાશ સામેની બાજુએ પડે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:37
28 Iomraidhean Croise  

દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે.


નમૂના મુજબ પરમ પવિત્ર સ્થાનની આગળ સળગાવવાના દીવાઓ અને તેમની દીવીઓ;


તમારો બોધ મારા પગ માટે માર્ગદર્શક દીવો છે; તે મારો માર્ગ અજવાળનાર પ્રકાશ છે.


તેનાં ચીપિયા અને તાસકો પણ શુદ્ધ સોનાનાં બનાવવાં.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


સાંજે પણ તે દીવા પેટાવવા આવે ત્યારે એ જ પ્રમાણે કરે. ધૂપનું આ અર્પણ પેઢી દર પેઢી નિત્ય કરવાનું છે.


તેણે દીપવૃક્ષ માટે સાત દીવાઓ, ચીપિયા તથા તાસકો બનાવ્યાં.


તેણે મંડપની અંદર દક્ષિણ દિશામાં મેજની સામેની બાજુએ દીપવૃક્ષ મૂકયું.


અને પ્રભુની સમક્ષ તેણે દીવા સળગાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


કારણ, તેમનું શિક્ષણ દીપક સમાન અને તેમની આજ્ઞાઓ પ્રકાશ સમાન છે, અને ઠપકો તથા શિસ્ત જીવનમાર્ગે દોરે છે.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


તેણે પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સુવર્ણ દીવી જોઉં છું. તેની ટોચે તેલ માટે પ્યાલો છે. દીવી પર સાત દીવા છે અને સાતેય દીવા પર દિવેટો મૂકવાના સાત સાત ખાંચા છે.


તેમણે જાંબલી રંગનું કપડું લઈ દીપવૃક્ષને તેના દીવા, ચીપિયા, તાસકો, સર્વ તેલ રાખવાનાં પાત્રો સાથે ઢાંકી દેવું.


“તું આરોનને આ પ્રમાણે કહે: તું જ્યારે દીપવૃક્ષ પર સાત દીવા ગોઠવે ત્યારે તેમને એવી રીતે ગોઠવ કે પ્રકાશ દીપવૃક્ષની આગળના ભાગમાં પડે.”


સમગ્ર દુનિયામાં તમે પ્રકાશરૂપ છો. પર્વત પર વસાવેલું શહેર છૂપું રહી શકે નહિ.


મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.”


ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે.


“આ અત્તર ત્રણસો દીનારમાં વેચીને તે પૈસા ગરીબોને કેમ ન આપ્યા?”


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.”


તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’


પછી મારી સાથે વાત કરનારને જોવા હું પાછો ફર્યો તો મેં સોનાની સાત દીવીઓ જોઈ.


મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે.


યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી,


હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે.


રાજ્યાસનમાંથી વીજળીના ચમકારા, અવાજો તથા મેઘગર્જનાના કડાકા નીકળતા સંભળાયા. રાજ્યાસનની સમક્ષ અગ્નિની સાત સળગતી મશાલો હતી. તે તો ઈશ્વરના સાત આત્માઓ હતા.


Lean sinn:

Sanasan


Sanasan