નિર્ગમન 25:29 - પવિત્ર બાઇબલ C.L.29 વળી, થાળીઓ, વાટકાઓ, બરણીઓ અને દ્રાક્ષાસવનાં પેયાર્પણો માટે વાપરવાનાં પ્યાલાં બનાવવાં. આ સર્વ વસ્તુઓ શુદ્ધ સોનામાંથી બનાવવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તું તેની થાળીઓ તથા કડછીઓ તથા વાડકા તથા રેડવાને માટે પ્યાલા બનાવ; તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવ; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 મેજ માંટે વાસણો બનાવજે; રકાબીઓ, વાટકા, પેય અને નૈવેધ માંટેના વાટકા તથા કડછીઓ; એ બધાં શુદ્ધ સોનાનાં બનાવજે. Faic an caibideil |
યજ્ઞવેદીના પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે ઇઝરાયલીના કુટુંબોનાં બાર આગેવાનોએ આપેલી કુલ ભેટો નીચે પ્રમાણે છે: ચાંદીના બાર થાળ અને ચાંદીના બાર પ્યાલા અને સોનાનાં બાર ધૂપપાત્રો. પવિત્રસ્થાન તોલમાપ પ્રમાણે દરેક થાળનું વજન આશરે દોઢ કિલો હતું, પ્યાલાનું વજન આશરે પોણો કિલોગ્રામ હતું. સોનાના ધૂપપાત્રનું વજન આશરે 110 ગ્રામ હતું. દહનબલિને માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: બાર વાછરડા, બાર ઘેટા, એક વર્ષની ઉંમરના બાર નર હલવાન; તે સાથે જરૂરી ધાન્યઅર્પણ. પ્રાયશ્ર્વિતબલિ માટે કુલ બાર બકરા હતા. તે ઉપરાંત સંગતબલિ માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: ચોવીસ આખલા, સાઠ ઘેટા, સાઠ બકરા અને એક વર્ષની ઉંમરનાં સાઠ હલવાન. વેદીની પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે આ ભેટોનું અર્પણ કરવામાં આવ્યું.