Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:18 - પવિત્ર બાઇબલ C.L.

18 “જ્યારે તમે મને પ્રાણીનું બલિદાન ચડાવો ત્યારે તેની સાથે ખમીરવાળી રોટલીનું અર્પણ કરશો નહિ. આ પર્વો દરમ્યાન મને ચડાવવામાં આવતાં પ્રાણીઓની ચરબી બીજા દિવસની સવાર સુધી રાખી મૂકશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મારા યજ્ઞનું રક્ત તું ખમીરી રોટલી સહિત અર્પણ કરીશ નહિ; તેમ જ મારા પર્વનો મેદ તું આખી રાત સવાર સુધી રહેવા ન દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તમારે મારા બલિદાનનું રક્ત ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમ જ પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “તમાંરે માંરા યજ્ઞનું લોહી ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમજ માંરા પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:18
10 Iomraidhean Croise  

સવાર સુધી તેમાંનું કશું બાકી રાખવું નહિ, અને છતાં કંઈ વધે તો તેને આગમાં બાળી દેવું.


પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.


તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.


મોશેએ કહ્યું, “કોઈએ આવતી કાલ માટે ખોરાક રાખી મૂકવો નહિ.”


દીક્ષાબલિના માંસમાંથી અથવા રોટલીઓમાંથી સવાર સુધી કંઈપણ બાકી રહે તો તેને બાળી નાખવું, તેને ખાવું નહિ, કારણ કે તે પવિત્ર છે.


“જ્યારે તું મને પ્રાણીનું અર્પણ કરે ત્યારે તારે ખમીરવાળી રોટલીનું અર્પણ કરવું નહિ. વળી, પાસ્ખાપર્વની ઉજવણી વખતે કાપેલ હલવાનનો કોઈપણ ભાગ સવાર સુધી રહેવા દઈશ નહિ.


“પ્રભુને ચડાવવાનાં કોઈપણ ધાન્ય અર્પણમાં ખમીર વાપરવું નહિ. પ્રભુને ધાન્ય અર્પણ ચડાવતી વખતે ખમીર કે મધ કદી વાપરવું નહિ.


જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા.


જે દિવસે પ્રાણી ચડાવવામાં આવ્યું હોય તે જ દિવસે તેનું માંસ ખાઈ જવાનું છે. બીજા દિવસની સવાર સુધી તેમાંનું કંઈ જ રાખવામાં આવે નહિ.


આમ, ઇજિપ્તમાંથી નીકળી આવવાનો દિવસ તમને જીવનભર યાદ રહેશે. સાત દિવસ સુધી આખા દેશમાં કોઈપણ ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. પ્રથમ દિવસની સાંજે વધ કરાયેલા પ્રાણીનું માંસ તે જ રાત્રે પૂરેપૂરું ખાઇ જવું અને એમાંથી સવાર પડતાં સુધી કંઈ રાખી મૂકવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan