Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:14 - પવિત્ર બાઇબલ C.L.

14 “તમે મારા માનાર્થે વર્ષમાં ત્રણ પર્વ ઊજવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વર્ષમાં તું મારે માટે ત્રણ વાર પર્વ પાળ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 “પ્રતિવર્ષ તમારે મારાં ત્રણ પર્વો પાળવાં અને ઊજવવાં. અને મારી ઉપાસના કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:14
14 Iomraidhean Croise  

શલોમોન વર્ષમાં ત્રણવાર પ્રભુને માટે તેણે બનાવેલી વેદી પર દહનબલિ અને સંગતબલિ ચઢાવતો. તે પ્રભુની વેદી આગળ ધૂપ પણ બાળતો. અને એમ તેણે મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું.


તેણે મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે પ્રત્યેક પવિત્ર દિવસે એટલે, સાબ્બાથદિને, ચાંદ્ર માસને પ્રથમ દિવસે અને ખમીરરહિત રોટલીનું પર્વ, કાપણીનું સાપ્તાહિક પર્વ અને માંડવાપર્વ એ ત્રણ વાર્ષિક ઉત્સવોએ દહનબલિ ચઢાવ્યા.


“દર વરસે આ ત્રણે પર્વો વખતે તમારા સર્વ પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરવા આવવું.


“તમે ધાતુના ઢાળેલા દેવો ન બનાવશો અને તેમની પૂજા પણ ન કરશો.


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું. મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં સાત દિવસ સુધી ખમીર વગરની રોટલી ખાવી; કારણ, આબીબ માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા.


જ્યારે ઇઝરાયલના લોકો નિર્ધારિત પર્વો પર પ્રભુની આરાધના માટે આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી પ્રવેશે તેઓ સેવાભક્તિ કર્યા પછી દક્ષિણને દરવાજેથી બહાર નીકળે, અને જેઓ દક્ષિણને દરવાજેથી પ્રવેશે તેઓ ઉત્તરને દરવાજેથી બહાર નીકળે. પ્રત્યેક માણસ જે રસ્તેથી અંદર દાખલ થયો હોય તે રસ્તે પાછો ન જાય, પણ સામેને દરવાજેથી બહાર જાય.


પચાસમા દિવસે એટલે સાતમા સાબ્બાથ પછીના દિવસે પ્રભુને નવી ફસલનું અર્પણ ચડાવો.


“તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.:


“પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે.


“આબીબ માસમાં તમારા ઈશ્વર પ્રભુના સન્માનમાં પાસ્ખાપર્વ પાળવાનું અચૂક યાદ રાખો. કારણ કે આબીબ માસમાં એક રાત્રે તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા.


“એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી.


એલ્કાના દર વર્ષે પોતાના નગરથી ‘યાહવે-સબાયોથ’ એટલે સેનાધિપતિ પ્રભુની ભક્તિ કરવા અને બલિ ચઢાવવા શીલો જતો. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફિનહાસ પ્રભુના યજ્ઞકારો હતા.


Lean sinn:

Sanasan


Sanasan