Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:14 - પવિત્ર બાઇબલ C.L.

14 “જો કોઈ માણસ બીજા પાસેથી ઢોર ઉછીનું લે અને ઢોરને તેના માલિકની ગેરહાજરીમાં ઇજા થાય અથવા તે મરી જાય તો તેને ઉછીનું લેનાર માણસ તેની નુક્સાની ભરી આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જો કોઈ માણસ પોતાના પડોશીની પાસેથી કંઈ માગી લે, ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય, તો તે નક્કી નુકસાની ભરી આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “અને જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પાસેથી કોઈ પ્રાણી ઉછીનું માંગી લે, અને તેનો ધણી તેની સાથે ના હોય તે સ્થિતીમાં તેને કંઈ ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પુરેપુરો બદલો આપવો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:14
11 Iomraidhean Croise  

વળી, બીજાઓએ કહ્યું, “અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ પર લદાયેલા રાજના કરવેરા ભરવા અમારે ઉછીના પૈસા લેવા પડયા છે.


દુર્જન ઉછીનું લીધેલું ય પાછું આપતો નથી, પણ નેકજન ઉદારતાથી દાન આપે છે.


તો માણસે તે પ્રાણીની કિંમત ચૂકવવી. તેણે તે રકમ પ્રાણીના માલિકને ચૂકવવી અને મરેલું પ્રાણી તેનું થાય.


તો તે માણસ પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ જાય અને શપથ લે કે તેણે પેલા માણસનું ઢોર ચોર્યું નથી. જો ઢોર ચોરાયું ન હોય તો માલિક તેનું નુક્સાન સ્વીકારી લે અને પેલા માણસે તેને ભરપાઈ કરવાની જરૂર નથી.


જો તે ઢોરને હિંસક પ્રાણીઓએ ફાડી ખાધું હોય તો તે માણસ ઢોરના બચેલાં અંગો રજુ કરે; એવા ઢોર માટે તેણે માલિકને નુક્સાન ભરી આપવાની જરૂર નથી.


પરંતુ ઢોરના માલિકની હાજરીમાં એવું બને તો પેલા માણસે નુક્સાન ભરપાઈ કરવાની જરૂર નથી. પરંતુ તે ઢોર ભાડે લેવાયું હોય તો નુક્સાની વળી ગયેલી સમજવી.


જો કોઈ બીજા માણસનું પ્રાણી મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. જીવને બદલે જીવ એ સિદ્ધાંત અનુસરવામાં આવે.


જો કોઈ તમારી પાસે માગે તો તેને આપો અને જો કોઈ ઉછીનું લેવા આવે તો ના પાડશો નહિ.


પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે.


તમારે આ રીતે દેવું માફ કરવું. પ્રત્યેક લેણદારે પોતાના જાતભાઈ એટલે સાથી ઇઝરાયલીને ધીરેલી રકમનું દેવું માફ કરી દેવું. તેણે એ નાણાં સાથી ઇઝરાયલી પાસેથી બળજબરીથી વસૂલ કરવા પ્રયત્ન કરવો નહિ. કારણ, પ્રભુના નામે ઋણમુક્તિ વિષે ઘોષણા કરવામાં આવી છે.


Lean sinn:

Sanasan


Sanasan