Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તો તે માણસ પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ જાય અને શપથ લે કે તેણે પેલા માણસનું ઢોર ચોર્યું નથી. જો ઢોર ચોરાયું ન હોય તો માલિક તેનું નુક્સાન સ્વીકારી લે અને પેલા માણસે તેને ભરપાઈ કરવાની જરૂર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તો તે બન્‍ને માણસ યહોવાના સમ ખાય, કે મેં મારા પડોશીની વસ્‍તુને હાથ અડકાડયો નથી; એટલે તેનો માલિક તે કબૂલ રાખે, ને પડોશી નુકસાની ભરી આપે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તો પછી તે માણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા પહોંચાડી નથી. તેણે યહોવાહના સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના માલિકે એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:11
10 Iomraidhean Croise  

“જો કોઈ માણસ બીજાનું ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ ઢોર સાચવવા રાખે અને તે ઢોર મરી જાય અથવા તેને ઇજા થાય અથવા તેને કોઈ ઉપાડી જાય અને કોઈ સાક્ષી ન હોય;


પણ ઢોર ચોરાયું હોય તો સાચવનારે ઢોરના માલિકને નુક્સાન ભરી આપવું.


પરંતુ ચોર ન પકડાય તો થાપણ સાચવનાર માણસને પવિત્રસ્થાનમાં ઈશ્વરની સમક્ષ લાવવામાં આવે અને તે ત્યાં શપથ લે કે તેણે પોતે પેલા માણસની થાપણ ચોરી નથી.


“તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ.


નહિ તો હું સમૃદ્ધિથી છકી જઈને, તમારો નકાર કરું, અને કહું કે, ‘યાહવે તે કોણ?’ અથવા, ગરીબ હોવાને લીધે ચોરી કરીને મારા ઈશ્વરના નામને બટ્ટો લગાડું.


ઈશ્વરની સમક્ષ લીધેલા શપથને લીધે રાજાની આજ્ઞા પાળ અને તેનો વગર વિચાર્યે ભંગ ન કર.


“તમારે નીચેના કિસ્સાઓમાં દોષ નિવારણ બલિ ચડાવવો. “જો કોઈ માણસને અદાલતમાં સાક્ષી આપવા માટે બોલાવવામાં આવે અને તે પોતે જોયેલી કે જાણેલી હકીક્ત સત્ય જાહેર ન કરે અને એમ પાપમાં પડે તો તેણે તે અંગેની સજા ભોગવવી પડશે.


અથવા કોઈની ગુમ થયેલી વસ્તુ તેને મળી હોય તે પાછી ન આપે અથવા એ વિષે જૂઠું બોલે અથવા જૂઠા સોગંદ ખાય અને એ રીતે પ્રભુની વિરુદ્ધ પાપ કરે,


માણસ શપથ લે છે ત્યારે તે પોતા કરતાં બીજી કોઈ મહાન વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, અને એમ શપથ માણસો વચ્ચેના વિવાદનો નિકાલ લાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan