Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 20:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “તમાંરે પડોશી કે માંનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 20:16
23 Iomraidhean Croise  

જેની જીભ નિંદામાં રાચતી નથી, જે પોતાના મિત્રનું બૂરું કરતો નથી, અને પોતાના પડોશીની બદનક્ષી કરતો નથી,


“તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ.


કપટી શબ્દોથી દ્વેષભાવ છુપાવનાર અને કૂથલી ફેલાવનાર મૂર્ખ છે.


કૂથલીખોર ખાનગી વાતો જાહેર કરે છે, પણ વિશ્વાસપાત્ર જન રહસ્ય સાચવે છે.


ખોટો આરોપ ચડાવનાર દંડાય છે, અને જૂઠાણું ઉચ્ચારનાર છટકી શક્તો નથી.


મિત્રો વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર ફરસી, તલવાર કે તીક્ષ્ણ તીર જેવો ક્તિલ છે.


“તમારે ચોરી ન કરવી, જૂઠું બોલવું નહિ, એકબીજાને છેતરવા નહિ. મારા નામના જૂઠા સોગંદ ખાવા નહિ અને એ રીતે મારા નામનું અપમાન કરવું નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


કોઇની જૂઠી ચાડી કરવી નહિ. કોઈના પર ખોટો આરોપ મૂકી તેના જીવને જોખમમાં મૂકવો નહિ. હું પ્રભુ છું.


કોઈના પર વેર વાળવું નહિ કે તેને કાયમને માટે ધિક્કારવો નહિ. પરંતુ બીજાઓ પર પોતાની જાત જેટલો જ પ્રેમ રાખવો; હું પ્રભુ છું.


તેણે પૂછયું કઈ આજ્ઞાઓ? ઈસુએ જવાબ આપ્યો, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠ્ઠી સાક્ષી ન પૂરવી,


કેટલાક સૈનિકોએ પણ તેને પૂછયું, “અમે શું કરીએ?” તેણે તેમને કહ્યું, “કોઈની પાસેથી બળજબરીથી પૈસા પડાવો નહિ, અથવા કોઈને ખોટી રીતે દોષિત ઠરાવો નહિ. તમને મળતા પગારમાં જ સંતોષ માનો.”


પછી તેઓ કેટલાક માણસોને તેની વિરુદ્ધ જુઠ્ઠું બોલવા અંદર લાવ્યા.


તમારામાંથી સર્વ પ્રકારની કડવાશ, ઉશ્કેરાટ અને ગુસ્સો કાઢી નાખો. ઝઘડો કે નિંદા કરો નહિ. સર્વ પ્રકારની ભૂંડાઈ કાઢી નાખો.


‘તમે કોઈની વિરુધ જૂઠી સાક્ષી ન આપો.


વ્યભિચારીઓ, જાતીય વિકૃતિ ધરાવનારાઓ, અપહરણ કરનારાઓ, જૂઠ બોલનારા અને જૂઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારા માટે છે.


વળી, દયાહીન, વૈરભાવી, અફવા ફેલાવનાર, અસંયમી, ઘાતકી અને સત્યનો નકાર કરનાર હશે.


મારા ભાઈઓ, એકબીજાની નિંદા ન કરો. જો કોઈ પોતાના ભાઈની નિંદા કરે કે ન્યાય કરે તો તે નિયમશાસ્ત્રની નિંદા અને ન્યાય કરે છે. જો તમે નિયમશાસ્ત્રનો ન્યાય કરો તો પછી તમે નિયમનું પાલન કરનારા નહિ, પણ તેના ન્યાયાધીશ બનો છો.


Lean sinn:

Sanasan


Sanasan