Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 16:32 - પવિત્ર બાઇબલ C.L.

32 મોશેએ કહ્યું, “પ્રભુએ આપણને આ આજ્ઞા આપી છે: ‘એક પાત્ર લઈને તેમાં બે કિલો જેટલું માન્‍ના ભરીને તેને તમારા વંશજો માટે સાચવી રાખો; જેથી હું તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારે મેં તમને જે ખોરાક ખવડાવ્યો તે તેઓ જોઈ શકે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને મૂસાએ કહ્યું, “યહોવાએ જે આજ્ઞા આપી છે તે એ છે કે, તમારા વશંજોને માટે તેમાંથી એક ઓમેરભર રાખી મૂકો; એ માટે કે હું તમને મિસર દેશમાંથી કાઢી લવ્યો ત્યારે અરણ્યમાં મેં તમને જે અન્‍ન ખવડાવ્યું, તે તેઓ જુએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાહે તમને આદેશ આપ્યો છે કે, ‘તમારા વંશજોને માટે તેમાંથી એક ઓમેર જેટલું માન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાએ આદેશ આપ્યો છે કે, ‘તમાંરા વંશજોને માંટે તેમાંથી 8 કપ ભરીને માંન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 16:32
11 Iomraidhean Croise  

હે પ્રભુના સેવક અબ્રાહામના વંશજો, હે પ્રભુના પસંદ કરેલ યાકોબનાં સંતાનો, પ્રભુએ કરેલાં અજાયબ કાર્યોનું, ચમત્કારોનું તથા તેમના મુખના ન્યાયચુકાદાઓનું સ્મરણ કરો.


પ્રભુએ આજ્ઞા આપી છે કે તમારે સૌએ તમારા તંબુમાં રહેનાર તમારા ઘરકુટુંબની જરૂરિયાતના પ્રમાણમાં સભ્યદીઠ એક ઓમેરભર એટલે લગભગ બે કિલો જેટલું એકઠું કરવું.”


ઇઝરાયલીઓએ તે ખોરાકનું નામ “માન્‍ના” (આ શું છે?) પાડયું. તે સફેદ નાના દાણા જેવું હતું અને તેનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો.


પછી મોશેએ આરોનને કહ્યું, “એક પાત્ર લઈને તેમાં બે કીલો માન્‍ના ભર અને તેને આપણા વંશજો માટે સાચવી રાખવા પ્રભુ આગળ મૂક.”


મેં તમને એ પણ કહ્યું હતું કે, મારી વાણીને આધીન થાઓ એટલે હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમારું સમગ્ર આચરણ મારી આજ્ઞાઓ પ્રમાણે રાખો તો તમારું ભલું થશે.


મમતા અને પ્રેમથી મેં તેમને મારી તરફ ખેંચ્યા. મેં તેમને ઉઠાવીને ગાલસરસા ચાંપ્યા અને તેમને લળી લળીને ખવડાવ્યું.


પછી તેમણે રોટલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને શિષ્યોને તે આપતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીને માટે આ કરો.”


તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ.


તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan