Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:25 - પવિત્ર બાઇબલ C.L.

25 મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેને એક વૃક્ષનું ઠૂંઠું બતાવ્યું. મોશેએ એને લઈને પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠાં બની ગયાં. પ્રભુએ ત્યાં એ લોકોને માટે વિધિઓ અને નિયમો ઘડયા અને તેમણે લોકોની ક્સોટી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેણે યહોવાની પ્રાર્થના કરી; અને યહોવાએ તેને એક વૃક્ષ બતાવ્યું, તે તેણે પાણીમાં નાખ્યું, એટલે પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાએ તેઓને માટે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો, ને ત્યાં તેમણે તેમની પરીક્ષા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એટલે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેને એક વૃક્ષનું થડ બતાવ્યું. મૂસાએ તેને પાણીમાં નાખ્યું અને પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાહે તેઓની કસોટી કરી. તેઓને માટે વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાં જ તેમની કસોટી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો એટલે યહોવાએ તેને ઝાડનું એક થડ બતાવ્યું. પછી મૂસાએ તે પાણીમાં નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું. ત્યાં દેવે લોકોને ન્યાય કર્યો તથા એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાંજ તેમની કસોટી કરી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:25
26 Iomraidhean Croise  

એટલે તે ઝરણાએ ગયો અને પાણીમાં મીઠું નાખી બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘મેં આ પાણી શુદ્ધ કર્યાં છે. એનાથી હવે મૃત્યુ કે કસુવાવડ થશે નહિ.”


એલિશાએ થોડોક લોટ મંગાવીને તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે તેમને થોડો વધારે સેરવો પીરસો.” હવે તેમાં કંઈ નુક્સાનકારક રહ્યું નહોતું.


ઈશ્વરભક્ત એલિશાએ પૂછયું, “તે ક્યાં પડી ગયો છે?” પેલા માણસે જગ્યા બતાવી એટલે એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું અને લોખંડના કુહાડાને પાણીમાં તરતો કર્યો.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


હે ઈશ્વર, તમે અમારી પારખ કરી છે. જેમ ચાંદી શુદ્ધ કરાય તેમ તમે અમને શુદ્ધ કર્યા છે.


સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ)


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો.


જ્યારે ઇઝરાયલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ધસી આવતા જોયા ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો.


ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું તમારે માટે આકાશમાંથી ખોરાક વરસાવીશ; લોકો રોજ બહાર જઈને તે દિવસ પૂરતો ખોરાક એકઠો કરે. આ રીતે હું તેમની ક્સોટી કરીશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ.


મોશેએ પ્રભુને આગ્રહથી પ્રાર્થના કરીને કહ્યું, “આ લોકો માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી ઉપર છે.”


મોશેએ કહ્યું, “ગભરાશો નહિ; કારણ, ઈશ્વર માત્ર તમારી ક્સોટી કરવા જ આવ્યા છે; જેથી તમે તેમનો ડર રાખો અને પાપ ન કરો.”


ચાંદી કુલડીમાં અને સોનું ભઠ્ઠીમાં ગળાય છે, પણ અંત:કરણની પારખ કરનાર તો ઈશ્વર છે.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


તેથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને ધાતુની જેમ ગાળીને પારખીશ, મારા લોકને માટે એ સિવાય હું બીજું કરું પણ શું?


પછી તે મને નદી કિનારે પાછો લઈ ગયો. અને મેં જોયું તો નદીને બંને કિનારે ઘણાં વૃક્ષો હતાં.


તેણે મને કહ્યું, “આ પાણી અહીંથી પૂર્વ તરફ વહીને યરદનની ખીણમાં પડે છે અને છેવટે એ મૃતસમુદ્રમાં જઈને મળે છે. જ્યારે તે મૃતસમુદ્રને મળશે ત્યારે તેનાં ખારાં પાણીને મીઠાં પાણી બનાવી દેશે.


ક્રૂસ પરના ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે; પણ આપણે જેઓ ઉદ્ધાર પામતા જઈએ છીએ તેમને માટે તો તે ખ્રિસ્તનું સામર્થ્ય છે.


તો પણ તમે તે સંદેશવાહકના શબ્દો કે તે સ્વપ્નદષ્ટાની વાત પર ધ્યાન આપશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેના દ્વારા તમારી ક્સોટી કરે છે કે તમે તમારા ઈશ્વર પ્રભુ પર તમારા પૂરા દયથી અને સાચા મનથી પ્રેમ રાખો છો કે નહિ તે જણાઈ આવે.


તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


આ ઇઝરાયલીઓ તેમના પૂર્વજોની માફક મારા માર્ગોમાં ચાલશે કે નહિ તેની ક્સોટી કરવા હું આ પ્રજાઓનો ઉપયોગ કરીશ.”


કનાન દેશની લડાઈઓનો જેમને અનુભવ થયો નહોતો તેવા ઇઝરાયલીઓની ક્સોટી કરવા માટે પ્રભુએ દેશમાં કેટલીક અન્ય પ્રજાઓને યથાવત્ રહેવા દીધી.


પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલીઓના પૂર્વજોને આપેલી આજ્ઞાઓનું ઇઝરાયલીઓ પાલન કરશે કે નહિ તે જાણવા તેમની ક્સોટી કરવા માટે એ પ્રજાઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan