Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:29 - પવિત્ર બાઇબલ C.L.

29 મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને મધરાતે એમ થયું કે યહોવાએ રાજ્યાસને બિરાજમાન ફારુનના પ્રથમજનિતથી માંડીને તુરંગવાસી કેદીના પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોને મારી નાખ્યા. અને પશુના સર્વ પ્રથમ જન્મેલાને [પણ મારી નાખ્યા].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના રાજકુંવર, જે તેના સિંહાસન પર બેસતો હતો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:29
27 Iomraidhean Croise  

પણ જે પ્રજા તેમને ગુલામ બનાવશે તે પ્રજાને હું સજા કરીશ. પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી બહાર નીકળશે.


ઘણા લોકો મયરાત્રિએ એક ક્ષણમાં મૃત્યુ પામે છે, કેટલાકને આઘાત લાગે છે અને નષ્ટ થાય છે, અરે, બળવાનો પણ કોઈ માણસના માર્યા વિના મરી જાય છે.


ઈશ્વરે તેમના દેશમાં સર્વ પ્રથમજનિતોને માર્યા; એટલે, તેમના પૌરુષત્વના પ્રથમ ફળરૂપ સંતાનોનો સંહાર કર્યો.


ઈશ્વરે ઇજિપ્તમાં, ઇજિપ્તીઓના અને તેમનાં પશુઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો.


ઈશ્વરે ઇજિપ્તના પ્રથમજનિતોનો સંહાર કર્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


તેમણે પોતાના કોપને વાસ્તે માર્ગ તૈયાર કર્યો; તેમણે તેમના પ્રાણ મૃત્યુથી બચાવ્યા નહિ અને તેમના જીવ મરકીને સ્વાધીન કર્યા.


તેમણે ઇજિપ્તના સર્વ પ્રથમજનિત પુત્રોને હણી નાખ્યા; હામના તંબૂઓમાં તેમના પૌરુષત્વનાં પ્રથમફળરૂપી પુત્રોને રહેંસી નાખ્યા.


પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાંને હાંકી કાઢશે.


“તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું.


પછી તેઓ ત્યાંથી ગયા અને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેમણે કર્યું.


તે સમયે ફેરોએ હઠે ચડીને અમને જવા દેવાની ના પાડી, ત્યારે પ્રભુએ ઇજિપ્તીઓના પ્રથમજનિત મનુષ્યો અને પ્રાણીઓના સર્વ પ્રથમજનિતોનો સંહાર કર્યો હતો. તેને લીધે પશુઓના પ્રત્યેક પ્રથમ જન્મેલા બચ્ચાનું હું પ્રભુને બલિદાન ચડાવું છું, અને પ્રથમજનિત પુત્રોને મૂલ્ય આપીને છોડાવી લઉં છું.”


અને મેં તને મારા પુત્રને મારી સેવાભક્તિ કરવા જવા દેવા કહ્યું; પણ તેં તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે. તેથી હું તારા જયેષ્ઠપુત્રને મારી નાખીશ.”


બીજે દિવસે પ્રભુએ તે પ્રમાણે કર્યું, અને ઇજિપ્તીઓનાં સર્વ ઢોર મરી ગયાં, પણ ઇઝરાયલીઓનું એક પણ ઢોર મર્યું નહિ.


ઈશ્વર તેમને બંદીવાનોની જેમ ખાડામાં પૂરી દેશે. તેમને સજા કરવાનો સમય આવે ત્યાં સુધી તેમને બંદીવાન રાખવામાં આવશે.


તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે.


કારણ, કચડાયેલાઓ બહુ જલદી મુક્ત થશે, તેઓ બંદીખાનામાં જ મોત પામશે નહિ કે તેમને અન્‍નની તંગી વર્તાશે નહિ.


પછી તેમણે યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો. ત્યાર પછી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો.


તેથી તેઓએ યર્મિયાને પકડી લીધો અને તેને ચોકીદારોના ચોકમાં રાજકુમાર માલ્ખીયાના તાબા હેઠળના ટાંકામાં દોરડાં વડે ઉતારીને અંદર નાખી દીધો. ટાંકામાં પાણી નહોતું; ફક્ત ક્દવ હતો અને તેથી યર્મિયા ક્દવમાં ખૂંપી ગયો.


મરકી તેમની આગળ આગળ જાય છે અને રોગચાળો તેમને પગલે પગલે ચાલે છે.


પ્રભુ કહે છે, “બલિદાનના રક્તથી મુદ્રિત કરેલા તમારી સાથેના મારા કરારને લીધે હું તમને, મારા લોકને, દેશનિકાલીના નિર્જળ ખાડામાંથી મુક્ત કરીશ.


તે વખતે ઈજિપ્તીઓ પ્રભુએ મારી નાખેલા તેમના પ્રથમજનિત સંતાનોને દફનાવતા હતા. આમ, પ્રભુએ ઈજિપ્તના દેવો કરતાં પોતે શક્તિશાળી છે તે પુરવાર કર્યું હતું.


જ્યારે મેં ઇજિપ્તના પ્રથમજનિતોને મારી નાખ્યા ત્યારે મેં ઇઝરાયલીઓના પ્રથમજનિત પુરુષ કે પ્રાણીને મારા માટે અલગ કર્યાં હતાં.


વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.


જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan