Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:14 - પવિત્ર બાઇબલ C.L.

14 મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરશો, અને તમાંરે એને યહોવાના ઉત્સવ તરીકે ઊજવવો. અને નિત્ય નિયમાંનુસાર તમાંરા વંશજોએ યહોવાના માંનમાં તેની ઊજવણી કરવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:14
29 Iomraidhean Croise  

યોશિયા રાજાએ કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે લોકોને તેમના ઈશ્વર પ્રભુના માનમાં પાસ્ખાપર્વ ઉજવવાનો આદેશ આપ્યો.


ઈશ્વર પોતાનાં અજાયબ કાર્યો દ્વારા તેમનું સંસ્મરણ કરાવે છે; પ્રભુ કૃપાળુ તથા દયાળુ છે.


હે યાહવે, તમારું નામ સાર્વકાલિક છે; તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકે છે.


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો.


“તમારે અને તમારાં સંતાનોએ નિત્યના વિધિ તરીકે આ નિયમો હરહંમેશ પાળવાના છે.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.


તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.


આબીબ માસ, એટલે જે માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા તેમાં, મેં તમને આપેલી આજ્ઞા પ્રમાણે ખમીરરહિત રોટલીનું પર્વ ઊજવો. પર્વના સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. વળી, તમે મારી ભક્તિ કરવા આવો, તો અર્પણો લીધા વિના આવશો નહિ.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.”


તે સાથે દર સવારે ધાન્યઅર્પણ પણ ચડાવવું. એફાહનો છઠ્ઠો ભાગ એટલે બે કિલો લોટ અને તેની સાથે લોટ મોહવા માટે હીનનો ત્રીજો ભાગ એટલે એક લિટર ઓલિવતેલ ચડાવવાં. પ્રભુને ધાન્યઅર્પણ ચડાવવા માટે આ નિત્યનો નિયમ છે.


એ જ માસના પંદરમા દિવસથી ખમીરરહિત રોટલીનું પર્વ શરૂ થાય છે. સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


હેલ્દાય, ટોલિયા, યદાયા અને સફાન્યાના પુત્ર યોશિયાના માનમાં એ મુગટ પ્રભુના મદિરમાં સ્મારક બની રહેશે.”


આરોનના પુત્રો એટલે યજ્ઞકારોએ રણશિંગડાં વગાડવાનાં છે. “તમારે અને તમારા વંશજોએ કાયમને માટે આ નિયમનું પાલન કરવાનું છે.


તમે જેઓ ઇઝરાયલી સમાજના છો તેમને માટે અને તમારી મધ્યે વસતા પરદેશીને માટે હરહમેંશ આ જ નિયમો બંધનર્ક્તા છે; પ્રભુની દૃષ્ટિમાં તમે અને પરદેશી બંને સરખા જ છો.


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું.


હું તમને સાચે જ કહું છું: સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં આ શુભસંદેશ પ્રગટ કરવામાં આવશે ત્યાં ત્યાં આ સ્ત્રીએ મારે માટે જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે.


પછી તેમણે રોટલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને શિષ્યોને તે આપતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીને માટે આ કરો.”


“આબીબ માસમાં તમારા ઈશ્વર પ્રભુના સન્માનમાં પાસ્ખાપર્વ પાળવાનું અચૂક યાદ રાખો. કારણ કે આબીબ માસમાં એક રાત્રે તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


તેમને તમારા હાથ પર નિશાની તરીકે બાંધો અને તમારાં કપાળ વચ્ચે યાદગીરી માટે પહેરો.


ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”


દાવિદે એ નિર્ણય નિયમ તરીકે કર્યો અને ત્યારથી ઇઝરાયલમાં એ નિયમ પળાતો આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan