Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ ઇજિપ્ત દેશમાં મોશે તથા આરોનને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને મિસર દેશમાં યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાએ તેમને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:1
17 Iomraidhean Croise  

તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”


હાજર રહેલા સર્વ ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ અને ખમીરરહિત રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.


મોશે અને આરોને આ સર્વ ચમત્કારો ફેરો સમક્ષ કર્યા; પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલીઓને જવા દીધા નહિ.


હવે તું મારા તરફથી લોકોને સૂચના આપ કે પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણો પાસેથી સોનારૂપાનાં ઘરેણાં માગી લે.”


પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી.


“આ માસ વર્ષના બધા માસોમાં તમારે માટે પ્રથમ માસ ગણાશે.


પછી પ્રભુએ મોશેને કહ્યું,


પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે.


પ્રથમ માસના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વની ઉજવણીનો આરંભ કરવો. સાત દિવસો સુધી દરેકે ખમીર વગરની રોટલી જ ખાવી.


“પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે.


“આ મહિનાના ચૌદમા દિવસે નિયત સમયે સૂર્યાસ્તથી શરૂઆત કરીને ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ તેના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે પાળવાનું છે.”


તેથી પ્રથમ મહિનાના ચૌદમા દિવસની સાંજથી સિનાઈના રણપ્રદેશમાં તેમણે પાસ્ખાપર્વ પાળ્યું. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે ઇઝરાયલીઓએ પર્વ પાળ્યું.


બે દિવસ પછી પાસ્ખા અને ખમીર વગરની રોટલીનું પર્વ હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો છળકપટથી ઈસુની ધરપકડ કરવાનો અને તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


પાસ્ખાપર્વ નામે ઓળખાતું ખમીર વગરની રોટલીનું પર્વ નજીક આવ્યું હતું.


પિતરની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં ચાર ચાર સૈનિકોનાં ચાર જૂથના ચોકીપહેરા નીચે તેને રાખવામાં આવ્યો. પાસ્ખાપર્વ પૂરું થાય પછી તેનો કેસ જાહેરમાં ચલાવવાની હેરોદે યોજના ઘડી હતી.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “પ્રભુ કહે છે કે, તારા પૂર્વજનું કુટુંબ ઇજિપ્તના રાજા અને તેના લોકની ગુલામીમાં હતું ત્યારે હું તેની આગળ પ્રગટ થયો.


Lean sinn:

Sanasan


Sanasan