Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 10:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તેથી અમારાં ઢોરઢાંક પણ અમારી સાથે આવશે; એક પણ પશુ અહીં રહેવા દેવામાં આવશે નહિ. કારણ, અમારા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ માટે અમારે પોતે એ ઢોરઢાંકમાંથી પસંદ કરવાં પડશે. કારણ, અમે સેવાના સ્થળે પહોંચીશું ત્યારે જ અમને ખબર પડશે કે અમારે કેવી જાતના અર્પણથી પ્રભુની સેવાભક્તિ કરવાની છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અમારાં જાનવર પણ અમારી સાથે આવે. એક ખરી [વાળું પ્રાણી] પણ અહીં રહે નહિ; કેમ કે તેઓમાંથી અમારા ઈશ્વર યહોવાની સેવાને માટે લેવાં પડશે. અને અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધી અમે જાણતા નથી કે અમારે શા વડે યહોવાની સેવા કરવી પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 અમે લોકો અમારાં જાનવરો અમારી સાથે અમારા ઈશ્વર યહોવાહનું ભજન કરવા માટે લઈ જઈશું. ખરીવાળું એક પણ પશુ અહીં રહેશે નહિ. અમારાં પશુઓમાંથી અમે અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞ ચઢાવવાના છીએ અને જ્યાં સુધી અમે નિયત જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમારે યહોવાહને શું અર્પણ કરવાનું છે?” તેથી બધાં જ જાનવરોને અમે અમારી સાથે લઈ જઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે? તેથી આ બધી જ વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 10:26
12 Iomraidhean Croise  

પણ મોશેએ જવાબ આપ્યો, “તમારે અમને બલિદાનો અને દહનબલિ પણ લઈ જવા દેવાં જોઈએ, જેથી અમે અમારા ઈશ્વર આગળ બલિદાનો ચડાવી શકીએ.


મોશેએ જવાબ આપ્યો, “અમારા જુવાનો અને વૃદ્ધો, અમારા પુત્રો અને પુત્રીઓ અમે સૌ અમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક સહિત જઈશું. કારણ, અમે પ્રભુ માટે પર્વ પાળવાના છીએ.”


તમારા કહેવા પ્રમાણે તમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક પણ લઈ જાઓ અને મને આશિષ મળે એવી પ્રાર્થના કરો.”


અમારે તો મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર રણપ્રદેશમાં જવું પડશે અને અમારા ઈશ્વર પ્રભુ અમને આજ્ઞા આપે તે પ્રમાણે અમે તેમની આગળ યજ્ઞ કરીશું.”


તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ.


તેના વેપારનો નફો અને તેની કમાણી પ્રભુને અર્પણ થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ, પણ તે પૈસામાંથી પ્રભુની સેવા કરનારા ભરીપૂરીને ખાશે અને ઉત્તમ વસ્ત્રો પહેરશે.


તેઓ પોતાનાં ઘેટાં અને ઢોરઢાંકનો બલિ પ્રભુને ચડાવે છે, પણ એથી તેમને કંઈ લાભ થતો નથી. તેઓ ઈશ્વરને શોધી શક્તા નથી; કારણ, ઈશ્વરે તેમને તજી દીધા છે.


તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે.


અમારી અપેક્ષા કરતાં આ વાત વિશેષ હતી. પ્રથમ તેમણે પોતાની સોંપણી પ્રભુને કરી, અને પછી ઈશ્વરની ઇચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા.


ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan