Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અદાર માસની ચૌદમી તારીખે સૂસા નગરના યહૂદીઓએ બીજા ત્રણસો માણસોને મારી નાખ્યા, પણ તેમણે લૂંટ ચલાવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સૂસામાંના યહૂદીઓ અદાર માસને ચૌદમે દિવસે પણ એકત્ર થયા, તોએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ એકત્ર થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ ભેગા થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:15
10 Iomraidhean Croise  

રાજાએ યહૂદીઓને તેમનાં વસવાટનાં સર્વ નગરોમાં સ્વરક્ષણ માટે સંગઠિત થવા પરવાનગી આપી છે એવું આ પત્રોમાં લખ્યું હતું. જો કોઈ પ્રાંત કે પ્રજા યહૂદીઓ પર હુમલો કરે તો તેઓ તેમનો સામનો કરે અને તેમનાં પત્ની તથા બાળકો સહિત સઘળાંને મારી નાખે, તેમને નષ્ટ કરે અને તેમની માલમિલક્ત લૂંટી લે એવું જણાવાયું હતું.


ત્યારે રાજાએ એસ્તેરને કહ્યું, “ફક્ત સૂસા નગરમાં જ યહૂદીઓએ પાંચસો માણસો મારી નાખ્યા છે. એમાં હામાનના દસેદસ પુત્રોને પણ મારી નાખવામાં આવ્યા છે. તો પછી તેમણે બીજા પ્રાંતોમાં શું નહિ કર્યું હોય? હજુ પણ તારી બીજી કોઈ ઇચ્છા હોય તો તે પૂર્ણ કરવામાં આવશે. તું માગીશ તે હું આપીશ.”


એસ્તેરે જવાબ આપ્યો, “હે રાજા, આજે યહૂદીઓએ સૂસામાં તેમના દુશ્મનોના જે હાલહવાલ કર્યા છે તેવું જ તેમને કાલે પણ કરવા દો. વળી, હામાનના દસેદસ પુત્રોનાં શબ ફાંસીએ લટકાવો.”


રાજાએ તે પ્રમાણે કરવા આદેશ આપ્યો, અને સૂસામાં તેની જાહેરાત કરવામાં આવી. હામાનના દસેય પુત્રોનાં શબ જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવ્યાં.


પ્રાંતોમાં વસતા યહૂદીઓ પણ સ્વરક્ષણ માટે સંગઠિત થઈ ગયા હતા. તેમણે તેમના પંચોતેર હજાર દ્વેષીઓની ક્તલ કરી, પણ લૂંટ ચલાવી નહિ.


તે દિવસે અહાશ્વેરોશના રાજ્યના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતાનાં વસવાટનાં નગરોમાં તેમને નુક્સાન કરવાનો પ્રયાસ કરનાર પર હુમલો કરવા સંગઠિત થયા. દરેક સ્થળે લોકો તેમનાથી ડરી ગયા અને કોઈ લોકો તેમની સામે ટકી શક્યા નહિ.


અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan