Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 6:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મોર્દખાય રાજમહેલના દરવાજે પાછો આવ્યો, પણ હામાન હતાશામાં મુખ ઢાંકીને ઘેર જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મોર્દખાય રાજાના દરવાજા આગળ પાછો આવ્યો. પણ હામાન શોક કરતો કરતો પોતાનું માથું ઢાંકીને ઘેર જલદી જતો રહ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મોર્દખાય રાજાના મહેલને દરવાજે પાછો આવ્યો પણ હામાન શોક કરતો પોતાનું મોં છુપાવીને જલદીથી ઘરે ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી મોર્દખાય પાછો મહેલને દરવાજે આવ્યો અને શરમાયેલો અને દુભાયેલો હામાન મોં છુપાવીને ઝડપથી ઘેર ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 6:12
14 Iomraidhean Croise  

દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


તેથી રાજા હતાશ અને ચિંતાતુર થઈ સમરૂન પાછો ફર્યો.


યિઝ્રએલી નાબોથે આહાબને એવું કહ્યું તેથી તે નિરાશ અને ક્રોધિત થઈ ઘેર ગયો. દીવાલ તરફ મોં રાખી તે પોતાના પલંગ પર પડયો અને ખોરાક લેવાની પણ ના પાડી.


તેણે જવાબ આપ્યો, “નાબાથે મને જે કહ્યું તેને લીધે; મેં તેને તેની દ્રાક્ષવાડી વેચાતી આપવા કહ્યું અને તેની ઇચ્છા હોય તો તેને બદલે બીજી દ્રાક્ષવાડી આપવા જણાવ્યું. પણ તેણે કહ્યું કે તે તે દ્રાક્ષાવાડી વેચી શકે તેમ નથી.”


અઝાર્યા મુખ્ય યજ્ઞકાર અને બીજા યજ્ઞકારો ભયભીત થઈને રાજાના કપાળ તરફ જોઈ રહ્યા અને પછી તેને પ્રભુના મંદિરમાંથી બહાર કાઢી મૂકયો. પ્રભુએ તેને રોગથી શિક્ષા કરી હોઈ તે પણ ઉતાવળે બહાર નીકળી ગયો.


બીજીવાર કુમારિકાઓને એકત્ર કરવામાં આવી. ત્યારે મોર્દખાયને રાજદ્વારી સ્થાન પ્રાપ્ત થયું.


હામાને રાજપોશાક અને ઘોડો મંગાવ્યા. મોર્દખાયને રાજપોશાક પહેરાવ્યો, ઘોડા પર બેસાડયો અને નગરચોકમાં સર્વત્ર ફરી પોકાર પાડયો કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.”


રાજા બગીચામાંથી મદિરાપાનના ખંડમાં આવ્યો તો હામાન એસ્તેરના પલંગ પર દયાની માગણી કરતો ઊંધો પડયો હતો. તે જોઈને રાજા પોકારી ઊઠયો, “શું તે મારા રાજમહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માગે છે?” એ સાંભળતાં જ રાજાના રાણીગૃહના સંરક્ષકો દોડી આવ્યા.


દુષ્ટની ખુશાલી અલ્પજીવી હોય છે, અને અધર્મીનો આનંદ ક્ષણિક હોય છે?


જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય?


સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો પછી તેણે ઊઠીને ભક્તિસ્થાનનાં પ્રવેશદ્વાર ખોલ્યાં. તે એલીને સંદર્શનની વાત કહેતાં ગભરાયો.


Lean sinn:

Sanasan


Sanasan