એસ્તેર 4:8 - પવિત્ર બાઇબલ C.L.8 યહૂદીઓનો નાશ કરવા માટે સૂસામાં બહાર પાડવામાં આવેલ હુકમની નકલ પણ તેણે હથાકને આપી; જેથી તે એસ્તેરને બતાવીને તેની જાણ કરે, જેથી એસ્તેર રાજાની પાસે જઈને પોતાના લોક માટે આગ્રહપૂર્વક દયાની યાચના કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે દેખાડે, અને તેને કહી બતાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની હજૂરમાં જઈને તે પોતાના લોકને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે બતાવે. અને તેને કહી સંભળાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની સમક્ષ જઈને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 વળી તેઓનો નાશ કરવાનો હૂકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ તેણે તેને આપી કે, તે એસ્તેરને તે દેખાડે, અને તેને વિનંતી કરે કે રાજાની હજૂરમાં જઇને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને તેમને બચાવવા અરજ કરે. Faic an caibideil |