Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 ઈશ્વરનાં કાર્યો વિશે વિચાર કરો. ઈશ્વરે જેને વાંકું બનાવ્યું છે તેને કોણ સીધું કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ઈશ્વરના કામનો વિચાર કરો; કેમ કે જે તેમણે વાંકું કર્યું છે, તેને સીધું કોણ કરી શકશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઈશ્વરનાં કામનો વિચાર કરો; તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 દેવનાં કામનો વિચાર કરો; જે તેણે વાંકુ કર્યુ છે, તેને સીધું કોણ કરી શકશે?

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:13
19 Iomraidhean Croise  

ઈશ્વર કોઈની ઉપેક્ષા કરે અથવા કોઈની ધરપકડ કરી તેની સામે અદાલતી તપાસ ચલાવે તોય તેમને કોઈ રોકી શકે તેમ છે?


ઈશ્વર જેને તોડી પાડે તેને કોણ ફરી બાંધે? તે જેને કેદ કરે તેને કોણ છોડાવે?


ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


હે યોબ, આ વાત સાંભળ; શાંતિથી ઈશ્વરનાં અજાયબ કાર્યોનો વિચાર કર.


જો તે કંઈ ઝૂંટવી લેવા માગે તો પણ તેમને કોણ અટકાવી શકે? અથવા ‘આ શું કરી રહ્યા છો?’ એમ કહેવાની હિંમત કોણ કરી શકે?


જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે.


જ્યારે હું તમારે હાથે રચેલા આકાશને, અને તમે તેમાં ગોઠવેલા ચંદ્ર અને તારાઓને નિહાળું છું,


જે વાંકું છે તે સીધું કરી શક્તું નથી અને જેની હયાતી જ નથી તેને ગણતરીમાં લઈ શક્તું નથી.


તો પણ તે આ દુનિયામાં ઈશ્વરનાં કાર્યોનો ભેદ સમજી શક્તા નથી. કોઈક બુદ્ધિમાન વ્યક્તિ તે ભેદ જાણવાનો દાવો કરતી હોય, તો પણ તે એ સત્ય જાણી શક્તી નથી.


સર્વસમર્થ પ્રભુએ નક્કી કરેલી યોજનાને કોણ રદ કરશે? શિક્ષા કરવાને તેમનો હાથ ઉગામેલો છે, તો તેને કોણ અટકાવી શકશે?


હું જ ઈશ્વર છું; હું અનાદિ ઈશ્વર છું. મારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી. મારા કાર્યને કોઈ નિરર્થક કરી શકતું નથી.”


તમારી મિજબાનીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી અને દ્રાક્ષાસવ હોય છે. પણ તમને પ્રભુનાં કાર્યો માટે માન નથી અને તેમનાં હાથનાં કામો માટે આદર નથી.


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


જો તમે આવી નજીવી બાબત પણ કરી શક્તા નથી, તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો?


તેમણે મોશેને જણાવ્યું, “હું મારી ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કે કૃપા કરીશ.”


તમારામાંથી કદાચ કોઈ કહેશે કે, “જો એમ જ હોય, તો ઈશ્વર માણસનો વાંક કેવી રીતે કાઢી શકે? કારણ, ઈશ્વરની ઇચ્છાને કોણ અટકાવી શકે?”


ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ખ્રિસ્તમાં મેળવીને તેમના પોતાના લોક બનાવવાનો હતો.


Lean sinn:

Sanasan


Sanasan