Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પરંતુ સાતમો દિવસ તો મને, એટલે તમારા ઈશ્વર પ્રભુને અર્પિત કરેલો સાબ્બાથદિન છે. તે દિવસે તમે, તમારાં સંતાનો, તમારા દાસદાસીઓ, તમારો બળદ કે ગધેડું, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં વસનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરો, જેથી તમારાં દાસદાસીઓને પણ આરામ મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ સાતમો દિવસ યહોવા તારા ઈશ્વરનો સાબ્બાથ છે: તેમાં તું કંઈ કામ ન કર, તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી, કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ પણ ઢોર, કે તારા દરવાજાની અંદર વસનાર પરદેશી. એ માટે કે જેમ તને તેમજ તારાં દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ સાતમો દિવસ તો વિશ્રામવાર છે, તમાંરા દેવ યહોવાનો દિવસ છે. તે દિવસે તમાંરે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહિ, તમાંરે કે તમાંરા પુત્રો કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ કે તમાંરી દાસીએ, તમાંરા બળદોએ કે ગધેડાઓએ કે પછી બીજા કોઈ પશુએ, તેમજ તમાંરા ગામોમાં વસતા કોઈ પણ વિદેશીએ પણ કામ ન કરવું, જેથી તમાંરા દાસ–દાસીઓ પણ તમાંરી જેમ આરામ કરે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 5:14
13 Iomraidhean Croise  

સાતમા દિવસ સુધીમાં તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને સાતમે દિવસે તેમણે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો.


એ વખતે મેં યહૂદિયાના લોકોને સાબ્બાથદિને દ્રાક્ષ પીલતા જોયા. બીજા કેટલાક પોતાનાં ગધેડાં પર અનાજ, દ્રાક્ષાસવ, દ્રાક્ષો, અંજીર અને બીજી વસ્તુઓ લાદીને યરુશાલેમ લઈ જતા જોયા; મેં તેમને સાબ્બાથના દિવસે કંઈ નહિ વેચવા ચેતવણી આપી.


તૂર શહેરના કેટલાક લોકો યરુશાલેમમાં રહેતા હતા અને તેઓ લોકોને વેચવા માટે સાબ્બાથદિને શહેરમાં માછલી અને અન્ય સર્વ પ્રકારનો માલસામાન લાવતા.


મેં તેમને તાકીદ કરી: સવાર સુધી ત્યાં રાહ જોઈને પડી રહેવાનો કોઈ અર્થ નથી. જો તમે ફરીથી આવું કરશો તો મારે તમારી સામે બળ વાપરવું પડશે.” તે પછી તેઓ ફરી સાબ્બાથના દિવસે આવ્યા નહિ.


અમે પણ અમારા સાથી યહૂદી ભાઈઓના જાતવંશના જ છીએ. અમારાં બાળકો પણ તેમનાં જ બાળકો જેવાં નથી? પણ અમારાં પુત્રો અને પુત્રીઓને અમારે ગુલામ થવા દેવાં પડયાં છે. અમારી કેટલીક પુત્રીઓને પણ અમારે ગુલામ તરીકે વેચવી પડી છે. અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ જપ્ત કરી લેવાયાં છે અને અમે તદ્દન નિરુપાય છીએ.”


“તમે સપ્તાહના છ દિવસ કામ કરો, પરંતુ સાતમે દિવસે કંઈ કામ કરશો નહિ; એ માટે કે તમારે માટે કામ કરતાં દાસદાસીઓ તથા પરદેશીઓને તથા તમારાં ઢોરઢાંકને આરામ મળે.


“છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે.


ઈસુએ સાર આપતાં કહ્યું, “વિશ્રામવાર માણસના ભલા માટે ઠરાવવામાં આવ્યો હતો, નહિ કે માણસને વિશ્રામવાર માટે બનાવવામાં આવ્યો.


પછી તેઓ પાછા ઘેર ગયાં અને મૃતદેહને માટે સુગંધી દ્રવ્યો તથા અત્તર તૈયાર કર્યાં. નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે તેમણે આરામ કર્યો.


છ દિવસ તમે શ્રમ કરો અને તમારાં બધાં કાર્યો કરો.


કારણ, સાતમા દિવસ સંબંધી પવિત્રશાસ્ત્રમાં એક જગ્યાએ આવું લખેલું છે: “ઈશ્વરે પોતાનાં સર્વ કાર્યોમાંથી સાતમે દિવસે વિશ્રામ લીધો.”


Lean sinn:

Sanasan


Sanasan