Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:21 - પવિત્ર બાઇબલ C.L.

21 “તમારે લીધે પ્રભુ મારા પર ક્રોધાયમાન થયા હતા અને તેમણે મને સોગંદપૂર્વક કહ્યું હતું કે, તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે જે ફળદ્રુપ દેશ આપવાના છે તેમાં યર્દન નદી ઓળંગીને હું પ્રવેશ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયા, ને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી, કે તું યર્દનની પેલી બાજુ જવા પામશે નહિ ને યહોવા તારા ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે, તેમાં તું પ્રવેશ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, “તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “પરંતુ તમાંરે કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને તેમણે સમ પૂર્વક જણાવ્યું હતું કે, તું યર્દન નદી ઓળંગી હું જે સમૃદ્વ ભૂમિનો કબજો તમાંરા લોકોને સોંપી રહ્યો છું તેમાં પ્રવેશ પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:21
13 Iomraidhean Croise  

પણ પ્રભુએ મોશે અને આરોનને ઠપકો આપ્યો, “તમે મારા પર વિશ્વાસ કર્યો નથી અને ઇઝરાયલી લોકો સમક્ષ મારી પવિત્રતાનું સન્માન કર્યું નહિ. તેથી આ લોકોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેમાં તમે તેમને લઈ જઈ શકશો નહિ.”


“વળી, તમારે લીધે પ્રભુએ મારા પર પણ રોષે ભરાઈને મને કહ્યું, ‘તું પણ તે દેશમાં પ્રવેશવા પામશે નહિ.


કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને આપવાના છે તે વિશ્રામ અને વારસાના દેશમાં તમે હજુ પહોંચ્યા નથી.


“જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણી ખંતથી સાંભળશો અને હું આજે જે આજ્ઞાઓ આપું છું તે બધી કાળજીપૂર્વક પાળશો તો તમારામાંનું કોઈ ગરીબ નહિ હોય; કારણ, તમારા ઈશ્વર પ્રભુ જે દેશ વારસા તરીકે તમને આપે છે તેમાં તે તમને જરૂર આશીર્વાદિત કરશે.


એમ કરવાથી નિર્દોષજનોના ખૂનનો દોષ લાગશે નહિ.


“પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ.


તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય.


તો તે સ્ત્રીનો પ્રથમ પતિ તેની સાથે પુનર્લગ્ન કરી શકે નહિ. તે સ્ત્રી તેને માટે અશુધ ગણાય. જો તે માણસ એ સ્ત્રી સાથે ફરીથી લગ્ન કરે તો એ વાત પ્રભુની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર ગણાશે. જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેને તમારે અશુધ કરવો નહિ.


“જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસામાં આપે છે તેમાં જ્યારે તમે વસવાટ કરો,


પરંતુ તમારે લીધે પ્રભુ મારા પર રોષે ભરાયા હોવાથી તેમણે મારી વિનંતી સાંભળી નહિ. પ્રભુએ મને કહ્યું, ‘તારે માટે આટલું બસ છે! એ બાબત વિષે હવે મારી સાથે ફરી કદી બોલીશ નહિ!’


“આજે હું એક્સો વીસ વર્ષનો થયો છું, અને તમને યુધની અવરજવરમાં દોરી શકું તેમ નથી. કારણ, પ્રભુએ મને કહ્યું છે કે, ‘તું યર્દન નદીની પેલે પાર જઈશ નહિ.’


Lean sinn:

Sanasan


Sanasan