Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 30:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈને આ પુસ્તકમાં લખેલા નિયમો અને ફરમાનોનું ખંતથી પાલન કરો અને તમારા ઈશ્વર પ્રભુ પ્રતિ સંપૂર્ણ દયથી અને પૂરા મનથી પાછા ફરો તો એમ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એટલે યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં લખેલાં છે તે તું પાળશે, ને તું તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા ઈશ્વરની તરફ ફરશે તો [એમ થશે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પણ તમાંરે તેને કાળજીપૂર્વક સાંભળવો જ. આ નિયમના ગ્રંથમાં તમાંરા દેવે લખેલી આજ્ઞાઓ અને નિયમો પાળો. અને તેની તરફ પૂર્ણ હદય અને આત્માંથી પાછા ફરો ત્યારે તે બહું પ્રસન્ન થશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 30:10
17 Iomraidhean Croise  

પણ જો તમે મારી તરફ પાછા ફરશો અને મારી આપેલી આજ્ઞાઓ પ્રમાણે વર્તશો તો તમે પૃથ્વીના છેડાઓ સુધી વિખેરાયેલા હશો તો પણ જે સ્થાન મેં મારે નામે ભજન કરવા માટે પસંદ કર્યું છે ત્યાં હું તમને પાછા લાવીશ.


પણ કોઈ દુષ્ટ માણસ પોતાનાં પાપનો ત્યાગ કરે અને મારા સર્વ નિયમો પાળે અને ન્યાયનીતિ અને સચ્ચાઇથી વર્તે તો તે મરશે નહિ; તે જીવતો રહેશે.


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું નક્કી માર્યો જશે,’ પણ જો તે પોતાના પાપથી પાછો ફરીને ન્યાયનીતિથી વર્તે;


જ્યારે કોઇ દુષ્ટ માણસ પાપ કરવાનું છોડી દઇને ન્યાયનીતિથી વર્તે તો તે જીવતો રહેશે.


દૂરદૂર વસતા લોકો આવીને પ્રભુનું મંદિર બાંધશે. જ્યારે તે બંધાઈ જાય ત્યારે તમે જાણશો કે પ્રભુએ મને મોકલ્યો છે. તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળશો તો એ બધું પરિપૂર્ણ થશે.


પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ.


તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે,


કારણ, સુન્‍નતી હોવું કે સુન્‍નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે.


પ્રભુ એવી વ્યક્તિને ઇઝરાયલના સર્વ કુળોના લોકો સમક્ષ દાખલારૂપ બનાવીને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપ તેના પર લાવશે.


“વળી, આ જે આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે પાળવાનું તમારે માટે મુશ્કેલ નથી કે તે તમારાથી દૂર નથી.


જો તમે અને તમારા વંશજો તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું તેમનું પૂરા દયથી અને પૂરા મનથી પાલન કરશો;


તમે ફરીથી પ્રભુની વાણીને આધીન થશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરશો.


તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે.


અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan