Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 27:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ‘પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરી તેના પર નામોશી લાવનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ‘જે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો; કેમ કે તેણે પોતાના પિતાની નગ્નતા ઉઘાડી કરી છે.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ‘જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાઓ, કેમ કે, તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “‘જે વ્યકિત પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે શ્રાપિત છે, કારણ કે, તે તેના પિતાની બદનામી કરે છે;’ “અને બધા લોકો કહેશે ‘આમીન.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 27:20
12 Iomraidhean Croise  

ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી.


પણ પૂરના પાણી જેવો અસ્થિર હોવાથી તારી ઉત્તમતા જળવાઈ રહેશે નહિ; કારણ, તેં તારા પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો, અને એમ તારા પિતાની પથારીને કલંક લગાડયું છે.


તેથી તેમણે મહેલના ધાબા પર આબ્શાલોમને માટે એક તંબૂ ઊભો કર્યો અને સર્વ ઇઝરાયલીઓની સમક્ષ આબ્શાલોમે તંબૂમાં જઈને તેના પિતાની ઉપપત્નીઓ સાથે સમાગમ કર્યો.


ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના વંશજો: (તે જ સૌથી મોટો પુત્ર હતો; પણ તેણે પોતાના પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો તેથી પ્રથમજનિત પુત્ર તરીકેનો પોતાનો હક્ક તેણે ગુમાવ્યો, અને એ હક્ક યોસેફના પુત્રોને આપવામાં આવ્યો હતો.


કેટલાક પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે અને કેટલાક રજ:સ્વલા સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે.


તમારે તમારી મા સાથે સમાગમ કરવો નહિ; એમાં તમારા બાપનું અપમાન છે. એ તમારી મા છે અને તમારે તમારી પોતાની માની ઇજ્જત લૂંટવી નહિ.


તમારે તમારી મા સિવાયની બાપની અન્ય પત્નીઓ સાથે સમાગમ કરવો નહિ. એ તો તમારા બાપનું અપમાન કરવા બરાબર છે.


જો કોઈ પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરે તો તેણે તેના પિતાનું અપમાન કર્યું છે. તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને શિર રહેશે.


તેઓ નિર્બળ અને નિરાધારોનાં માથાં ધરતીની ધૂળમાં રગદોળે છે અને દીનોને તેમના માર્ગમાંથી હડસેલી મૂકે છે. પિતા અને પુત્ર મંદિરની એક જ દેવદાસી સાથે જાતીય સંબંધ કરીને મારા પવિત્ર નામને કલંક લગાડે છે.


તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો!


“કોઈ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરીને તેના પિતાની આબરૂ કાઢવી નહિ.


“જેનાં વૃષણ કચડી નાખવામાં આવ્યાં હોય કે જેનાં ગૃહ્યાંગ કાપી નાખવામાં આવ્યાં હોય તેવા માણસને પ્રભુના લોકના સમાજમાં દાખલ કરવો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan