Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 25:5 - પવિત્ર બાઇબલ C.L.

5 “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમનાંમાંનો એક મૃત્યુ પામે પણ તેને પુત્ર ન હોય તો મરનારની વિધવા કુટુંબની બહાર કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્ન ન કરે. પણ તેનો દિયર તેની સાથે લગ્ન કરે અને તે સ્ત્રી પ્રત્યે દિયર તરીકેની પોતાની ફરજ બજાવે અને ભાઈ માટે સંતતિ ઉપજાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય, ને તેઓમાંનો એક મરી જાય ને તેને દીકરો ન હોય, તો મરનારની પત્ની બહારના કોઈ બીજી જાતિના પુરુષને ન પરણે, તેના પતિનો ભાઈ તેની પાસે જાય, ને તે તેને પરણીને તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 25:5
11 Iomraidhean Croise  

તેની મોટી પુત્રીએ નાની પુત્રીને કહ્યું, “આપણા પિતા વૃદ્ધ થયા છે અને આ દુનિયાના રિવાજ પ્રમાણે જેની સાથે આપણે લગ્ન કરી શકીએ એવો કોઈ પુરુષ અહીં નથી.


તેમણે કહ્યું, ગુરુજી, મોશેએ શીખવ્યું છે કે જો કોઈ માણસ નિ:સંતાન મરી જાય, તો તે માણસના ભાઈએ પેલી વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.


તેમણે કહ્યું, “ગુરુજી, મોશેએ આપણે માટે આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ નિ:સંતાન ગુજરી જાય, તો તે માણસના ભાઈએ મરનારની વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’


તેમણે તેમને પૂછયું, “ગુરુજી, આપણે માટે મોશેએ આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ મરી જાય અને તેની પત્ની હોય, પણ બાળકો ન હોય, તો એ માણસના ભાઈએ એ વિધવાની સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’


નાઓમીએ કહ્યું, મારી દીકરીઓ, તમારે પાછા ફરવું જ જોઈએ. મારી સાથે આવવાથી તમને કંઈ લાભ થવાનો નથી. શું તમારી સાથે લગ્ન કરાવવા મારી પાસે હજી પણ પુત્રો છે?


તેથી બાકીની રાત અહીં જ સૂઈ રહે. પેલો માણસ તમારી જવાબદારી લેશે કે નહિ તે અમે સવારે શોધી કાઢીશું. તે જવાબદારી લે તો ઠીક, અને ન લે તો જીવતા પ્રભુના સમ ખાઉં છું કે હું તે જવાબદારી અદા કરીશ. જા, હવે સૂઈ જા.”


જેના મજૂરોની સાથે તું કામ કરતી હતી તે બોઆઝ આપણો નિકટનો સગો છે. જો, આજે રાત્રે તે જવ ઉપણી રહ્યો છે.


તેણે પૂછયું, “તું કોણ છે?” રૂથે જવાબ આપ્યો, “એ તો હું તમારી દાસી રૂથ છું. તમે મારા નિકટના સગા છો, અને અમારી સંભાળ લેવાની જવાબદારી તમારી છે. માટે તમારું વસ્ત્ર મને ઓઢાડો, મારો સ્વીકાર કરો અને મને આશ્રય આપો.”


ત્યારે બોઆઝે કહ્યું, “તારે નાઓમીનું ખેતર ખરીદવું હોય તો મરનારની વિધવા રૂથ સાથે તારે લગ્ન પણ કરવું પડશે; જેથી ખેતર મરનારના વારસામાં ચાલુ રહે.”


Lean sinn:

Sanasan


Sanasan