Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 23:24 - પવિત્ર બાઇબલ C.L.

24 “જ્યારે તમે કોઈની દ્રાક્ષાવાડીમાંથી પસાર થતા હો ત્યારે તમે ધરાઈને દ્રાક્ષ ખાઈ શકો છો, પણ તમારે દ્રાક્ષ કોઈ પાત્રમાં ભરીને લઈ જવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તું તારા પડોશીની દ્રાક્ષાવાડીમાં જાય ત્યારે તારી મરજી પ્રમાણે ધરાતાં સુધી દ્રાક્ષો ખા; પણ તાર વાસણમાં કંઈ પણ ન નાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જયારે તમે તમારા પડોશીની દ્રાક્ષવાડીમાં જાઓ ત્યારે મરજી પ્રમાણે દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ તમારા પાત્રમાં ભરીને લઈ જાઓ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “જયારે તમે બીજાની દ્રાક્ષની વાડીમાંથી પસાર થતાં હોય ત્યારે જોઈએ તેટલી દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ કોઈ પાત્રમાં ભરીને તમે લઈ જાઓ નહિ,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 23:24
10 Iomraidhean Croise  

તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો.


હું તમારા મંદિરમાં દહનબલિ લઈને આવીશ, હું તમારી સમક્ષ માનેલી માનતાઓ પૂર્ણ કરીશ.


‘એ તો સમર્પિત છે, એમ ઉતાવળે માનતા માની લેવી તે ફાંદામાં ફસાવા જેવું છે; માનતા માન્યા પછી તેમાંથી છટકવાનો પ્રયાસ વાજબી નથી.


“તું ઇઝરાયલી લોકને આમ કહે: જો કોઈ માણસ પ્રભુની સેવામાં બીજા કોઈને સમર્પિત કરવાની માનતા રાખે અને પછી તે તેને મુક્ત કરવા માંગે તો તેણે પવિત્રસ્થાનના ચલણના શેકેલના ધોરણે નીચે પ્રમાણે મુક્તિમૂલ્ય ચૂકવવું.


જેઓ તંગીમાં છે તેવા ભાઈઓને મદદ કરો. મહેમાનોનો આવકાર કરવા તમારાં ઘર ખુલ્લાં રાખો.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.”


તમે તમારે મુખે માનતા માટે જે કંઈ બોલ્યા હતા તે પ્રમાણે કરો. તમે તમારા ઈશ્વર, પ્રભુને સ્વેચ્છાથી સ્વૈચ્છિક અર્પણ ચડાવવાની માનતા લીધી હોય તે પ્રમાણે જ કરો.


તમે કોઈના ખેતરના ઊભા પાક પાસેથી પસાર થતા હો ત્યારે તમારા હાથથી કણસલા તોડીને તમને ખાવાની છૂટ છે, પણ દાતરડું લગાવીને કણસલા લણી લેવાની છૂટ નથી.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


પણ ઇઝરાયલીઓએ તેમને મારી નાખ્યા નહિ, કારણ, તેમના આગેવાનોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું હતું. સર્વ લોકોએ એ માટે ઇઝરાયલી સમાજના આગેવાનોની ટીકા કરી.


Lean sinn:

Sanasan


Sanasan