Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 23:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પછી ઢળતી સાંજે તેણે સ્નાન કરવું અને સૂર્યાસ્ત થયા પછી તેણે છાવણીમાં પાછા આવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તે નાહી નાખે; અને જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે તે છાવણીમાં પાછો આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 સાંજે સૂર્યાસ્ત પછી તેણે સ્નાન કરવું અને તે પછી છાવણીમાં પાછા આવવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 23:11
20 Iomraidhean Croise  

મારા દોષથી મને પૂરેપૂરો ધૂઓ, મારાં પાપથી મને શુદ્ધ કરો. પાપની કબૂલાત


મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


સાતમે દિવસે તેણે પોતાના શરીરના બાકીના બધા વાળ કપાવવા, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં અને સ્નાન કરવું. તે પછી તેને વિધિગત રીતે શુદ્ધ જાહેર કરવામાં આવે.


જો સ્રાવવાળો માણસ હાથ ધોયા વગર કોઈને સ્પર્શે તો તેવા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવા, સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


“સ્રાવવાળાનો સ્રાવ મટી જાય પછી શુદ્ધિકરણને માટે સાત દિવસ રાહ જોવી. પછી તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે અને ઝરણાંના ચોખ્ખા પાણીમાં સ્નાન કરે એટલે તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે.


“જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય તો તેણે આખે શરીરે સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની પથારીનો સ્પર્શ કરે કે તેની બેઠક પર બેસે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે,


પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ.


તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી.


તમારામાંના કોઈને રાત્રે સ્વપ્નદોષ થયો હોય તો તે માણસે છાવણી બહાર જવું અને ત્યાં જ રહેવું.


“તમારે મળત્યાગ માટે છાવણી બહાર એક જગા નિયત કરવી અને મળત્યાગ માટે ત્યાં જ જવું.


તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.


તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan