Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 22:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તો તે પુરુષ તે કન્યાના પિતાને ચાંદીના પચાસ સિક્કા કન્યાવિક્રય તરીકે આપે અને તે તેની પત્ની થાય. તે માણસે તે કન્યા સાથે બળજબરીથી સમાગમ કર્યો તેથી તે તેના આખા જીવનભર તેને છૂટાછેડા આપી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તો તે કન્યાની સાથે વ્યભિચાર કરનાર માણસ તે કન્યાના પિતાને પચાસ [શેકેલ] રૂપું આપે, ને તે તેની પત્ની થાય. કેમ કે તેણે તેની આબરૂ લીધી છે. તેની આખી જિંદગીભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 તો તે પુરુષે તે કન્યા સાથે લગ્ન કરવાં અને દંડ તરીકે કન્યાના પિતાને 50 તોલા ચાંદી આપે. તે છોકરી તેની પત્ની થશે. વળી તેણે બળજબરીથી તે કન્યા જોડે વ્યભિચાર કર્યો છે માંટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 22:29
7 Iomraidhean Croise  

પરંતુ ઢોરના માલિકની હાજરીમાં એવું બને તો પેલા માણસે નુક્સાન ભરપાઈ કરવાની જરૂર નથી. પરંતુ તે ઢોર ભાડે લેવાયું હોય તો નુક્સાની વળી ગયેલી સમજવી.


“જો કોઈ પુરુષ સગાઈ કર્યા વગરની કુમારિકાને ફસાવીને તેની સાથે સમાગમ કરે તો તેણે દહેજની રકમ આપીને તેની સાથે લગ્ન કરવાં.


ત્યાર પછી તેના પરથી તેનું મન ઊઠી જાય તો તે સ્ત્રીને તેની મરજીમાં આવે ત્યાં જવા દેવી; પણ તેને નાણાં લઈને વેચવી નહિ. તે કોઈ ગુલામડી હોય એમ વેચાણની વસ્તુ તરીકે તેની સાથે વર્તવું નહિ; કારણ, તેણે તેની સાથે સમાગમ કર્યો છે.


વળી, તેઓ તેને સો ચાંદીના સિક્કાનો દંડ કરે અને તે રકમ કન્યાના પિતાને આપે. કારણ, એ માણસે ઇઝરાયલની એક નિર્દોષ કન્યાને બદનામ કરી છે; અને તે કન્યા તેની પત્ની તરીકે કાયમ રહે અને તેના આખા જીવન દરમ્યાન તે તેને છૂટાછેડા આપી શકે નહિ.


તો તમારે તે બન્‍નેને નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખવાં; કન્યાને એટલા માટે કે તે નગરમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ પાડી નહિ; અને પુરુષને એટલા માટે કે તેણે પોતાના સાથી ઇઝરાયલીને સગપણમાં અપાયેલી સ્ત્રી સાથે સમાગમ કર્યો. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


“જો કોઈ પુરુષ સગાઈ ન થઈ હોય એવી કુંવારી કન્યા પર બળાત્કાર કરતાં પકડાય.


“કોઈ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરીને તેના પિતાની આબરૂ કાઢવી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan