Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:8 - પવિત્ર બાઇબલ C.L.

8 “અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને સરદારોને લોકોને એમ પણ કહે કે, બીકણ તથા નાહિમ્મત કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તેની જેમ તેના ભાઈઓ પણ નાહિમ્મત થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે, “શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે નાહિંમત થઈ ગયો હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓનાં હૃદય પણ નાહિમ્મત થઈ જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “વળી અધિકારીઓએ વધુમાં કહેવું કે, ‘હવે, શું અહીં કોઈ એવો પુરૂષ છે જે ગભરાઈ ગયો હોય કે હિંમત હારી ગયો હોય? અને જો હોય તો તે પાછો જાય; નહિ તો તે કદાચ અન્ય સાથીદારોને પણ નાહિંમત બનાવી દેશે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:8
14 Iomraidhean Croise  

અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.


કટોકટીની વેળાએ નાહિંમત બનવું તે સાચે જ નિર્બળતાની નિશાની છે.


પણ કાલેબની સાથે ગયેલા માણસોએ કહ્યું, “આપણે તેમની સામે ઝઝૂમી શકીએ તેમ નથી. તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”


તેઓએ એશ્કોલની ખીણ સુધી જઈને દેશની તપાસ કરી, પણ પાછા આવીને તેમણે ઇઝરાયલીઓનાં મન નિરાશ કરી નાખ્યાં, અને તેમને પ્રભુએ આપેલા દેશમાં જતા રોકયા.


ઈસુએ તેને કહ્યું, “જે કોઈ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જુએ છે તે ઈશ્વરના રાજને માટે લાયક નથી.”


છેતરાશો નહિ! દુષ્ટ સોબત સારા ચારિયને બગાડે છે.


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


લશ્કરી અધિકારીઓનું સંબોધન પૂરું થાય એ પછી તેમણે લશ્કરની સર્વ ટુકડીઓ માટે સેનાધિકારીઓની નિમણૂક કરવી.


“જ્યારે તમે શત્રુઓ સામે યુધ કરવા છાવણીમાં હો ત્યારે તમને અશુધ કરનાર સર્વ બાબતોથી તમારે પોતાને અલગ રાખવા.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


પણ તું હૂંફાળો છે; તું નથી ગરમ કે નથી ઠંડો, તે માટે હું તને થૂંકી નાખીશ!


લોકોમાં જાહેરાત કર, ‘જે કોઈ ભયથી થરથરતો હોય તે ગિલ્યાદ પર્વત છોડીને પાછો જાય.” બાવીસ હજાર પાછા ગયા, પણ દસ હજાર રોકાયા.


Lean sinn:

Sanasan


Sanasan