Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:5 - પવિત્ર બાઇબલ C.L.

5 “ત્યાર પછી અધિકારીઓ લોકોને સંબોધીને કહે: ‘નવું ઘર બાંધ્યું હોય પણ તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો તે કદાચ યુધમાં માર્યો જાય અને બીજા માણસે તેના ઘરની પ્રતિષ્ઠા કરવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને સરદારો લોકોને કહે કે, જેણે નવું ઘર બાંધીને તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય. રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજા પરુષને તેની પ્રતિષ્ઠા કરવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે અધિકારીઓએ લોકોને કહેવું કે, “શું એવો કોઈ માણસ છે કે જેણે નવું ઘર બાંધ્યું હોય અને તેની અર્પણવિધિ કરી ના હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજા કોઈ માણસે તેના ઘરનું અર્પણ કરવું પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “ત્યારબાદ સેનાના અધિકારીઓએ પણ સેનાને આ પ્રમાંણે સંબોધન કરવું; ‘શું અહીં તમાંરામાં કોઈ એવો છે કે જેણે નવું ઘર બંધાવ્યું હોય અને અર્પણવિધિ કરી ના હોય? જો તેવો કોઇ હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો યુદ્ધમાં તે કદાચ માંર્યો જાય અને તેના ઘરનું અર્પણ બીજા કોઈએ કરવું પડે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:5
8 Iomraidhean Croise  

યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.


હે પ્રભુ, હું તમારી પ્રશંસા કરું છું; કારણ કે તમે તો મને ઘોરમાંથી ઉપર ખેંચી લીધો છે. અને મારા શત્રુઓને મારા પર આનંદ કરવા દીધો નથી.


યુધમાંથી પાછા ફરેલા લશ્કરના સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ પર મોશે ખૂબ જ ગુસ્સે થયો હતો.


ત્યાર પછી સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ મોશેની પાસે આવ્યા.


તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા.


“તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.


વળી, દ્રાક્ષવાડી રોપી હોય પણ તેનું ફળ ચાખવા પામ્યો ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની છૂટ છે. નહિ તો કદાચ તે યુધમાં માર્યો જાય અને બીજો માણસ તેનું ફળ ખાય.


વળી, સેનાધિકારી માટે પનીરના આ દસ ટુકડા લઈ જા. તારા ભાઈઓની શું સ્થિતિ છે તેની ખબર કાઢી લાવ અને તું તેમને મળ્યો છે અને તેઓ મઝામાં છે તે દર્શાવવાને નિશાની લઈ આવ.


Lean sinn:

Sanasan


Sanasan