Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 19:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કોઈ માણસને બીજા માણસ પર અગાઉથી વેર ન હોય અને આકસ્મિક રીતે તેની હત્યા કરી બેસે તો તે માણસ ત્યાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જે મનુષ્યઘાતક ત્યાં નાસી જઈને બચી જાય તેના વિષેની વાત આ પ્રમાણે છે: [એટલે] જે કોઈને પોતાના પડોશી ઉપર અગાઉ દ્વેષ ન હતો, પણ જે અજાણે તેને મારી નાખે તે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખીને ત્યાં નાસી જાય તે બચી જાય આ નિયમ તેઓના માટે છે: જે કોઈને પોતાના પડોશી પર પહેલાં દ્રેષ ન હતો, પણ અજાણ્યે તે તેને મારી નાખે તે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “જો કોઈ વ્યકિત બીજી વ્યકિતને અજાણતા અથવા, પહેલાંના કોઈ વેર વગર, માંરી નાખે અને પછી આમાંના કોઇ એક શહેરમાં આશ્રય લે તો તેનો જીવ બચી રહે,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 19:4
12 Iomraidhean Croise  

યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી.


તેણે કહ્યું, “હે રાજા, પ્રભુ તમારા ઈશ્વરને પ્રાર્થના કરો કે મારા પુત્રના મૃત્યુનો બદલો લેવા મારો જે નિકટનો સગો જવાબદાર છે તે મારા બીજા પુત્રને મારી નાખીને મોટો ગુન્હો ન આચરે.” દાવિદે જવાબ આપ્યો, “હું પ્રભુના જીવના સમ ખાઇને વચન આપું છું કે તારા પુત્રને કંઈ ઇજા થશે નહિ.”


ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.”


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


સમગ્ર સમાજ સમક્ષ ન્યાયચુકાદા માટે મુકદ્દમો ચલાવ્યા વગર ખૂનીની હત્યા કરાય નહિ.


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમે યર્દન નદી ઓળંગી કનાન દેશમાં પ્રવેશ કરો.


દાખલા તરીકે, એક માણસ બીજા માણસ સાથે લાકડાં કાપવા જંગલમાં જાય અને વૃક્ષ કાપવા માટે કુહાડીનો ઘા મારતાં કુહાડી તેના હાથામાંથી છટકીને પેલા બીજા માણસને વાગે અને તે માણસ મૃત્યુ પામે, તો પેલો પહેલો માણસ પેલાં ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે.


જો નગરે પહોંચવાનો રસ્તો લાંબો હોય તો ખૂનનો બદલે લેનાર સગો પેલા માણસને રસ્તામાં પકડી પાડશે અને અગાઉથી વેર ન હોવાથી તે માણસ મૃત્યુદંડને પાત્ર ન હોવા છતાં તે તેને ક્રોધના આવેશમાં મારી નાખશે.


જેથી જો કોઈ માણસ ભૂતકાળનું વેર ન હોવાં છતાં કોઈ માણસને અજાણે મારી નાખે તો તે આ ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને બચી જાય.


પ્રભુની કરારપેટી તમને જવાનો રસ્તો બતાવશે, કારણ, આ રસ્તે તમે અગાઉ કદી ગયા નથી. પણ તમે કરારપેટીની નજીક જશો નહિ; તેનાથી લગભગ એક કિલોમીટર દૂર રહેજો.”


Lean sinn:

Sanasan


Sanasan