Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 19:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમારે ખૂની માણસ પ્રત્યે દયા દાખવવી નહિ; એમ તમારે ઇઝરાયલમાંથી નિર્દોષના ખૂનનો દોષ દૂર કરવો, જેથી તમારું કલ્યાણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તારે તેના પર દયા લાવવી નહિ, પણ તારે ઇઝરાયલમાંથી નિર્દોષ લોહી દૂર કરવું કે તારું ભલું થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેવા ગુનેગાર પ્રત્યે લેશ માંત્ર દયા બતાવવી નહિ. અને ઇસ્રાએલમાંથી તમાંમ ખૂનીઓનું કાસળ કાઢી નાખશો તો જ શાંતિ અને સુખથી રહી શકશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 19:13
17 Iomraidhean Croise  

મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


હવે મારા સર્વ સંબંધીઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી પાસેથી મારો છોકરો તેમને સોંપી દેવાની માગણી કરે છે. જેથી તેના ભાઈને મારી નાખવા બદલ તેઓ તેને મારી નાખે. તેમનો ઇરાદો એ રીતે એકમાત્ર વારસદારનું ખૂન કરવાનો છે. તેઓ એમ કરે તો હું પુત્રવિહોણી થઈ જઈશ. તેઓ મારી છેલ્લી આશાને નષ્ટ કરી દેશે અને પૃથ્વીના પટ પરથી મારા પતિને નિર્વંશ કરી દઈને તેમનું નામ મિટાવી દેશે.”


દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”


પછી તેમણે શાઉલ અને યોનાથાનનાં હાડકાં બિન્યામીનના પ્રદેશમાં આવેલા શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટયાં અને એમ રાજાના હુકમ પ્રમાણે તેમણે બધું જ કર્યું. તે પછી ઈશ્વરે દેશ માટેની તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો.


શલોમોને કહ્યું, “તો ભલે યોઆબના કહેવા પ્રમાણે કર. તેને મારીને દાટી દે. પછી યોઆબે નિર્દોષ માણસોનો સંહાર કર્યો તેની જવાબદારી મારા પર કે દાવિદના બીજા કોઈ વંશજ પર રહેશે નહિ.


આમાંનું કંઇપણ કરવા પૂરતી સહાનુભૂતિ કોઈએ તારા પ્રત્યે દર્શાવી નહોતી, પણ તું જન્મી ત્યારે તને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. કારણ, ત્યારે તારી દશા નફરતજનક હતી.


“જો કોઈ ખૂન કરે તો તેને મોતની સજા ફટકારવામાં આવે.


જો કોઈ માણસ પ્રાણીને મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. પણ જો કોઈ માણસ બીજા માણસને મારી નાખે તો તેને મારી નાખવો.


મૃત્યુદંડની સજા થયેલા ખૂનીને મુક્તિમૂલ્ય લઈને છોડાવી લેવાય નહિ. તેને તો મૃત્યુદંડ મળવો જ જોઈએ.


તોપણ તમારે એવાંની વાત સ્વીકારવી કે સાંભળવી પણ નહિ. તમારી આંખ તેના પર દયા દર્શાવે નહિ. તમારે તેને બચાવવો કે સંતાડવો નહિ;


તો તે ખૂની માણસના નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી બોલાવી લે અને ખૂનનો બદલે લેનાર સગાના હાથમાં તેને સોંપે અને એમ તે માર્યો જાય.


એ પ્રસંગે તમારે લેશમાત્ર દયા દાખવવી નહિ; પણ જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ અને પગને બદલે પગ એમ સજા કરવી.


એ પ્રમાણે પ્રભુની દૃષ્ટિમાં યથાયોગ્ય કાર્ય કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષ વ્યક્તિના ખૂનના દોષનું વિમોચન કરવું.


તો તમારે તે સ્ત્રીની હથેલી કાપી નાખવી અને તેના પ્રત્યે લેશમાત્ર દયા દાખવવી નહિ.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારે સ્વાધીન કરી દે અને તમે તેમનો પરાજય કરો ત્યારે તમારે તેમનો સંપૂર્ણ સંહાર કરવો. તમે તેમની સાથે સુલેહનો કરાર કરશો નહિ કે તેમના પ્રત્યે દયા દાખવશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan