Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 16:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “આબીબ માસમાં તમારા ઈશ્વર પ્રભુના સન્માનમાં પાસ્ખાપર્વ પાળવાનું અચૂક યાદ રાખો. કારણ કે આબીબ માસમાં એક રાત્રે તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આબીબ માસ ધ્યાનમાં રાખીને યહોવા તારા ઈશ્વરની પ્રત્યે પાસ્ખા પાળ; કેમ કે આબીબ માસમાં યહોવા તારા ઈશ્વર તને રાત્રે મિસરમાંથી કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આબીબ માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “આબીબ ના મહિનામાં યહોવા તમાંરા દેવના માંનમાં પાસ્ખાપર્વને ઊજવવાનું હંમેશા યાદ રાખશો. કારણ કે, એ મહિનામાં તમાંરા દેવ યહોવા તમને રાતોરાત મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 16:1
16 Iomraidhean Croise  

પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.


મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


તમે પ્રથમ માસ, એટલે આબીબ માસના આ દિવસે નીકળ્યા છો.


“તમે મારા માનાર્થે વર્ષમાં ત્રણ પર્વ ઊજવો.


આબીબ માસ, એટલે જે માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા તેમાં, મેં તમને આપેલી આજ્ઞા પ્રમાણે ખમીરરહિત રોટલીનું પર્વ ઊજવો. પર્વના સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. વળી, તમે મારી ભક્તિ કરવા આવો, તો અર્પણો લીધા વિના આવશો નહિ.


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું. મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં સાત દિવસ સુધી ખમીર વગરની રોટલી ખાવી; કારણ, આબીબ માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા.


“પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે.


“પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે.


ઈસુનાં માતાપિતા પાસ્ખાપર્વ માટે દર વર્ષે યરુશાલેમ જતાં હતાં.


યહૂદીઓના પાસ્ખા પર્વનો સમય પાસે આવ્યો હતો, તેથી ઈસુ યરુશાલેમ ગયા.


તે પછી યહૂદીઓનું એક ધાર્મિક પર્વ હતું એટલે ઈસુ યરુશાલેમ ગયા.


યહૂદીઓનું પાસ્ખાપર્વ નજીક હતું.


પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જઈને તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે ત્યાં પાસ્ખાપર્વ પાળવા ઢોરઢાંક અથવા ઘેટાંબકરાંમાંથી એક પ્રાણીનો વધ કરવો.


Lean sinn:

Sanasan


Sanasan