Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 15:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તમારે આ રીતે દેવું માફ કરવું. પ્રત્યેક લેણદારે પોતાના જાતભાઈ એટલે સાથી ઇઝરાયલીને ધીરેલી રકમનું દેવું માફ કરી દેવું. તેણે એ નાણાં સાથી ઇઝરાયલી પાસેથી બળજબરીથી વસૂલ કરવા પ્રયત્ન કરવો નહિ. કારણ, પ્રભુના નામે ઋણમુક્તિ વિષે ઘોષણા કરવામાં આવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને છૂટકો કરવાની રીત આ છે: પ્રત્યેક લેણદાર પોતાના પડોશીને પોતે જે ધીર્યું હોય તે જવા દે; તે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી બળજબરીથી તે પાછું લે નહિ, કેમ કે યહોવાના માનાર્થે છુટકારાનો ઢંઢેરો પિટાવવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દરેક મહાજને દેવાદાર કે જેઓ તેના ઋણી છે તેઓને દેણાંથી મુકત કરવાં. તેણે પોતાના જાતભાઈ પાસે દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે એ યહોવાએ ઠરાવેલું દેવામાંફીનું વર્ષ છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 15:2
13 Iomraidhean Croise  

પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું.


તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


અમે જેમ બીજાઓના અપરાધ માફ કરીએ છીએ, તે જ પ્રમાણે તમે અમારા અપરાધોની માફી આપો.


બેમાંથી કોઈ પૈસા ભરપાઈ કરી શકે તેમ ન હતો, તેથી તેણે બન્‍નેનું દેવું માફ કર્યું. તો એ બેમાંથી કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?”


“દર સાતમું વર્ષ ઋણમુક્તિનું વર્ષ છે.


કોઈ પરદેશીનું દેવું હોય તો તેની પાસેથી તે વસૂલ કરવાની તમને છૂટ છે. પરંતુ તમારા જાતભાઈનું દેવું હોય તો તમારે તે વસૂલ કરવું નહિ.


મોશેએ તેમને આજ્ઞા કરી કે, “દર સાત વર્ષને અંતે ઋણમુક્તિના વર્ષમાં માંડવાપર્વ દરમ્યાન મુકરર કરેલ સમયે તમારે એનું વાંચન કરવું.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


Lean sinn:

Sanasan


Sanasan