Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 10:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા ત્યારે તેઓ માત્ર સિત્તેર જણ હતાં, પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આકાશના તારા જેટલા અસંખ્ય બનાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તારા પિતૃઓ બધા મળીને સિત્તેર મનુષ્યો મિસરમાં ગયા હતા, અને હાલ યહોવા તારા ઈશ્વરે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 જયારે તમાંરા પિતૃઓ મિસર ગયા હતા ત્યારે તેઓ ફકત સિત્તેર જ હતા. પણ અત્યારે તમાંરા દેવ યહોવાએ તમને આકાશના તારાની જેમ અસંખ્ય અને અગણિત બનાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 10:22
14 Iomraidhean Croise  

પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”


હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર તેનાં પોતાનાં સંતાનોમાં એના પુત્રોની પત્નીઓને બાદ કરતાં કુલ છાસઠ જણ હતા.


યોસેફને ઇજિપ્તમાં બે પુત્રો થયા હતા. યાકોબના કુટુંબના જે બધા ઇજિપ્તમાં આવ્યા તેમની કુલ સંખ્યા સિત્તેર હતી.


તમે તેમને આકાશના તારાઓ જેટલાં સંતાન આપ્યાં, અને જે દેશ તેમના પૂર્વજોને આપવાનું તમે વચન આપ્યું હતું તે પ્રમાણે તમે તેમને આ દેશ જીતી લેવા દઈ તેમાં તેમને વસાવ્યા છે.


યાકોબના કુલ સિત્તેર વંશજો હતા. યોસેફ તો અગાઉથી ઇજિપ્તમાં જ હતો.


નવી ગણતરી પ્રમાણે ઇઝરાયલની કુલ સંખ્યા 6,01,730ની હતી.


એક માસ અને તેથી વધારે ઉંમરના લેવીકુળના નર બાળકો નોંધાયા હતા. તેમની કુલ સંખ્યા 23,000 ની હતી. તેમની ગણતરી બીજા ઇઝરાયલીઓ સાથે કરવામાં આવી નહોતી. કારણ, ઇઝરાયલીઓ મધ્યે તેમને કોઈ જમીન મળી નહોતી.


તેથી યોસેફે તેના પિતા યાકોબને તેના કુટુંબસહિત ઇજિપ્તમાં આવવા સંદેશો મોકલ્યો; તેઓ સર્વ મળીને પંચોતેર હતા.


તમારા ઈશ્વર પ્રભુએ તમારી વંશવૃધિ કરી છે અને આજે તો તમે આકાશના તારાઓની જેમ અસંખ્ય થયા છો.


તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમારી સંખ્યા હજારગણી વધારો અને તમને આશીર્વાદ આપો!


તે વખતે તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારો પૂર્વજ મૃત્યુને આરે આવેલો એક અતિ વૃધ અરામી હતો. તે તેના કુટુંબને લઈને ઇજિપ્ત દેશમાં ગયો અને ત્યાં તેમણે વસવાટ કર્યો. તેઓ ત્યાં ગયા ત્યારે સંખ્યામાં જૂજ હતા. પરંતુ તેઓ એક મહાન, બળવાન અને સંખ્યાવાન પ્રજા બન્યા.


તમે ભલે સંખ્યામાં આકાશના તારા જેટલા થાઓ, તોપણ તેમાંથી માત્ર જૂજ લોકો બચવા પામશે; કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ.


તેથી મૃત:પ્રાય એવા એક માણસમાંથી આકાશના તારા જેટલા તથા સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા વંશજો ઉત્પન્‍ન થયા.


Lean sinn:

Sanasan


Sanasan