Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:12 - પવિત્ર બાઇબલ C.L.

12 દરરોજનાં નિયત અર્પણો ચડાવવાને બદલે લોકોએ તે જગાએ પાપાચાર કર્યો અને સતધર્મને જમીનદોસ્ત કરી દીધો. પોતાને ફાવે તેમ વર્તવામાં શિંગડું સફળ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું [દહનીયાર્પણ] તેને હવાલે કરવામાં આવ્યાં. તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું, ને તે પોતાની [મરજી મુજબ] વર્ત્યું, ને ફતેહ પામ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બંડને કારણે સૈન્ય તથા દહનાર્પણ તેને આપી દેવામાં આવ્યું. સત્યને જમીન પર ફેંકી દીધું, પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યું અને સફળ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 બળવાને કારણે દૈંનિક અર્પણોની સાથે સૈન્ય પણ આપી દેવામાં આવ્યું; પરિણામે સત્યને જમીન પર ફેકી દેવામાં આવ્યું અને પોતાની મરજી મુજબ ર્વત્યું, ને નઠારૂ-ભૂંડાઇ વિજયી બની અને આબાદ થઇ.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:12
14 Iomraidhean Croise  

લૂંટારાઓના તંબૂમાં આબાદી હોય છે; ઈશ્વરને ચીડવનારા અને તેમને પોતાની હથેલીમાં રાખવાનો દાવો કરનારા સલામતીમાં રહે છે.


તમારી નેકી સાર્વકાલિક છે; તમારો નિયમ સત્ય છે.


મારા મુખમાંથી તમારાં સત્ય કથન લઈ ન લો; કારણ, હું તમારાં ધારાધોરણોની આશા રાખું છું.


હે પ્રભુ, તેઓ તમારાં કાર્યો, એટલે તમારા હાથનાં કાર્યો ધ્યાનમાં લેતા નથી; તેથી તમે તેમને તોડી પાડો અને ફરીથી સ્થાપન ન કરો.


ન્યાય પાછો ઠેલાયો છે, છુટકારો એકલો પડી ગયો છે, સત્ય રસ્તે રઝળે છે, અને પ્રામાણિક્તા પગપેસારો કરી શકે તેમ નથી.


હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?


અરામનો રાજા લડાઈમાં મેળવેલી લૂંટ સાથે પાછો કરશે. પણ તેનું મન પવિત્ર કરારની વિરુદ્ધ લાગેલું હશે. પોતાને ફાવે તેમ વર્ત્યા પછી તે પોતાના દેશમાં પાછો જશે.


હું જોતો હતો ત્યારે એ નાના શિંગડાંએ ઈશ્વરના લોકોની સામે યુદ્ધ કર્યું અને તેમના પર જીત મેળવી.


મેં ઘેટાને પશ્ર્વિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો. તેને કોઈ પ્રાણી રોકી શકાયું નહિ કે તેની તાક્તનો મુકાબલો કરી શકાયું નહિ. પોતાને ફાવે તેમ તે કરી શક્તો હતો અને તેથી તે ઘમંડી બની ગયો.


તેણે ઈશ્વરના લોકો વિરુદ્ધ લડાઈ કરીને તેમને હરાવવાના હતા અને તેને દરેક જાતિ, પ્રજા, ભાષા અને રાષ્ટ્ર પર અધિકાર આપવામાં આવ્યો હતો.


શાઉલ તેના પર હુમલો કરવાની પેરવી કરે છે એવું સાંભળીને દાવિદે અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “એફોદ અહીં લાવ.”


Lean sinn:

Sanasan


Sanasan