Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 6:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી દેશનિકાલ થવામાં તમે સૌ પ્રથમ હશો. તમારી મહેફિલો અને મિજબાનીઓનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 એથી જેઓ ગુલામગીરીમાં જશે તેમને મોખરે તમે ગુલામગીરીમાં જશો; ને જેઓ લાંબા થઈને સૂઈ રહેતા તેઓની ખુશાલીનો લોપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી તેઓ ગુલામગીરીમાં જશે, જેમ સૌ પ્રથમ તેઓ ગુલામગીરીમાં ગયા હતા, જેઓ લાંબા થઈને સૂઈ રહેતા હતા, તેઓના એશઆરામનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી સૌ પ્રથમ તમને ગુલામો તરીકે લઇ જવામાં આવશે. અને તમારા એશઆરામનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 6:7
17 Iomraidhean Croise  

“આપને યોગ્ય લાગતું હોય અને મારી માગણી પૂરી કરવાની આપની ઇચ્છા હોય તો આપ અને હામાન આવતી કાલે ફરીથી મિજબાની માટે પધારો એવી મારી વિનંતી છે. તે વખતે હું આપને મારી માગણી જણાવીશ.”


મારું મન આઘાત પામ્યું છે અને હું ભયથી ધ્રૂજી ઊઠયો છું. મેં સંયાના સારા સમયની અપેક્ષા રાખેલી, પણ એ ય મારે માટે ભયંકર થઈ પડી છે.


ખંજરીનો રણકાર અને વીણાનો ઝણકાર બંધ પડયા છે. આનંદપ્રમોદ કરનારાઓનો ઘોંઘાટ બંધ થઈ ગયો છે.


તે જ રાત્રે બેબિલોનનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


નગરકોટના સૌથી નજીકના બાકોરા સુધી તેઓ તમને ઘસડી જશે અને ત્યાંથી તમને બહાર ફેંકી દેશે.


હું તમને દમાસ્ક્સની પેલી પાર ગુલામગીરીમાં મોકલી દઈશ.” સેનાધિપતિ ઈશ્વર જેમનું નામ છે તે યાહવે એમ કહે છે.


વળી, મને બેથેલમાં શોધવાનો યત્ન ન કરશો; કારણ, બેથેલ નાશ પામવાનું છે. ગિલ્ગાલ પણ ન જશો; કારણ, તેના લોકો ગુલામગીરીમાં જવાના છે.


તે આમ કહે છે: ‘યરોબઆમ લડાઈમાં તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલી લોકોનો તેમના દેશમાંથી દેશનિકાલ થશે.”


તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.”


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


તમારે પુત્રો-પુત્રીઓ થશે પણ તમે તેમને ગુમાવશો, કેમ કે તેઓ યુધકેદી તરીકે દેશનિકાલ થશે.


Lean sinn:

Sanasan


Sanasan