Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 28:17 - પવિત્ર બાઇબલ C.L.

17 ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોની એક સભા બોલાવી. તેઓ એકઠા થયા એટલે તેણે તેમને કહ્યું, “મારા ભાઈઓ! જોકે મેં આપણા લોકો અથવા આપણા પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજો વિરુદ્ધ કંઈ કર્યું ન હતું તોપણ મને યરુશાલેમમાં કેદ કરવામાં આવ્યો અને રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્રણ દિવસ પછી [પાઉલે] યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને એકત્ર કર્યા; અને તેઓ એકત્ર થયા ત્યારે તેણે તેઓને કહ્યું, “ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તોપણ યરુશાલેમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ત્રણ દિવસ પછી એમ થયું કે, (પાઉલે) યહૂદીઓના મુખ્ય (આગેવાનોને) બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ત્રણ દિવસ પછી પાઉલને કેટલાએક મહત્વના યહૂદિઓના મુખ્ય માણસોને ભેગા બોલાવ્યા. જ્યારે તેઓ ભેગા થયા. પાઉલે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, મેં આપણા લોકોની વિરૂદ્ધ કશું જ કર્યુ નથી. મેં આપણા પૂર્વજોના રિવાજો વિરૂદ્ધ પણ કંઈ કર્યુ નથી. પરંતુ મને યરૂશાલેમમાં પકડીને રોમનોને હવાલે કરવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 28:17
11 Iomraidhean Croise  

હિબ્રૂઓના દેશમાંથી મને ઉપાડી લાવવામાં આવ્યો છે અને અહીં પણ મેં જેલમાં પુરાવું પડે એવું કંઈ કર્યું નથી.”


પણ યહૂદીઓએ શહેરના અગ્રગણ્ય માણસોને તેમજ ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવનાર અને ભક્તિભાવી સ્ત્રીઓને ઉશ્કેર્યાં. તેમણે પાઉલ અને બાર્નાબાસની સતાવણી શરૂ કરી અને તેમને તેમના પ્રદેશમાંથી કાઢી મૂક્યા.


હું જે કહું છું તે સાચું છે તેનું સમર્થન પ્રમુખ યજ્ઞકાર તેમ જ આખી ન્યાયસભા આપી શકે તેમ છે. મેં તેમની પાસે દમાસ્ક્સમાં વસતા યહૂદી ભાઈઓ પર પત્ર લખાવ્યા હતા; જેથી હું ત્યાં જઈને એ લોકોની ધરપકડ કરીને તેમને સજા કરવા માટે યરુશાલેમ લઈ આવું.”


તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને સોંપ્યો.


પાઉલે કહ્યું, “હું સમ્રાટના ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. તમે સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ ખોટું કર્યું નથી.


ત્યાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ પાઉલ વિરુદ્ધના આરોપ રજૂ કર્યા.


પણ પાઉલે પોતાનો બચાવ કરતાં કહ્યું, “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અથવા તેમના મંદિર વિરુદ્ધ કે રોમન સમ્રાટ વિરુદ્ધ કંઈ ગુનો કર્યો નથી.”


તેમણે કહ્યું, “આ માણસ હંમેશાં આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ તથા મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે. અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે નાઝારેથનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી ઊતરી આવેલા આપણા બધા રીતરિવાજોને બદલી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan