Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, તમે યહૂદી રીતરિવાજો અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો. તેથી તમે મને ધીરજથી સાંભળશો એવી મારી વિનંતી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મને તારી સાથે વાત કરવાનો ઘણો આનંદ છે કારણ કે તમે બધા યહૂદિઓના રિવાજો તથા બાબતો જેના વિષે યહૂદિઓ દલીલો કરે છે તે વિષે તમે માહિતગાર છો. કૃપા કરીને ધીરજપૂર્વક મને ધ્યાનથી સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:3
13 Iomraidhean Croise  

ત્યાર પછી નિયમ પ્રમાણે મેં વેચાણખતની સીલબંધ નકલ અને ખુલ્લી નકલ લીધી,


તારા વિષે તેમણે સાંભળ્યું છે કે બિનયહૂદી દેશોમાં રહેતા યહૂદીઓને તેમનાં બાળકોને સુન્‍નત કરાવવાની અને યહૂદી રીતરિવાજો અનુસરવાની ના પાડીને તું તેમને મોશેના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું શીખવી રહ્યો છે.


પછી રાજ્યપાલે પાઉલને બોલવા ઇશારો કર્યો એટલે પાઉલે કહ્યું, “આપ ઘણાં વર્ષોથી આ પ્રજાનો ન્યાય કરતા આવ્યા છો તે હું જાણું છું અને તેથી તમારી સમક્ષ મારો બચાવ કરતાં મને આનંદ થાય છે.


હું આપનો વધારે પડતો સમય લેવા માગતો નથી, તેથી અમારી ટૂંકી રજૂઆત આપ કૃપા કરીને સાંભળો એવી મારી વિનંતી છે.


પણ સમ્રાટ પર એના અંગે લખવાને મારી પાસે કોઈ ચોક્કસ વિગતો નથી. માટે મેં તેને આપ સૌની સમક્ષ અને ખાસ કરીને આગ્રીપા રાજા સમક્ષ રજૂ કર્યો છે, એ માટે કે તેનો કેસ તપાસ્યા પછી મને લખવા માટે કંઈક મળે.


“હે આગ્રીપા રાજા! યહૂદીઓ મારા પર જે આરોપ મૂકે છે તે અંગે આજે આપની સમક્ષ મારે મારો બચાવ કરવાનો છે તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું.


હે આગ્રીપા રાજા! હું તમારી સાથે હિંમતપૂર્વક બોલી શકું છું, કારણ, તમે આ બધી બાબતો જાણો છો. મને ખાતરી છે કે તમે બધી બાબતો ધ્યાનમાં લીધી છે; કારણ, આ વાત કંઈ ઘરને ખૂણે બની નથી.


એ જ વચન મેળવવા માટે તો ઈશ્વરની રાતદિવસ ભક્તિ કરતાં કરતાં અમારા લોકનાં બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે.


ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોની એક સભા બોલાવી. તેઓ એકઠા થયા એટલે તેણે તેમને કહ્યું, “મારા ભાઈઓ! જોકે મેં આપણા લોકો અથવા આપણા પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજો વિરુદ્ધ કંઈ કર્યું ન હતું તોપણ મને યરુશાલેમમાં કેદ કરવામાં આવ્યો અને રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો.


તેમણે કહ્યું, “આ માણસ હંમેશાં આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ તથા મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે. અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે નાઝારેથનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી ઊતરી આવેલા આપણા બધા રીતરિવાજોને બદલી નાખશે.”


જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી.


જ્યારે રાજાનો રાજ્યાભિષેક થાય ત્યારે તે પોતાને માટે લેવીકુળના યજ્ઞકારો પાસે આ નિયમની પ્રત તૈયાર કરાવે.


Lean sinn:

Sanasan


Sanasan