Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 25:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પાઉલે કહ્યું, “હું સમ્રાટના ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. તમે સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ ખોટું કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પાઉલે કહ્યું, “કાઈસારના ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. મેં યહૂદીઓનું કંઈ ભૂંડું કર્યું નથી, તે આપ પણ સારી પેઠે જાણો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પાઉલે કહ્યું, “હમણાં હું કૈસરના ન્યાયાસન આગળ ઊભો છું. જ્યાં મારો ન્યાય થવો જોઈએ તે જ જગ્યા આ છે. મેં યહૂદિઓનું કશું ખોટું કર્યુ નથી. તમે જાણો છો આ સાચું છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 25:10
12 Iomraidhean Croise  

તેને ખબર હતી કે અધિકારીઓ ઈર્ષાને લીધે જ ઈસુને પકડી લાવ્યા હતા.


જ્યારે પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો, તે નિર્દોષને તું કંઈ સજા કરીશ નહિ; કારણ, ગઈ રાત્રે સ્વપ્નમાં તેને લીધે મને ઘણું દુ:ખ થયું છે.


મને ખબર પડી કે મરણની સજા થાય એવું અથવા કેદમાં નંખાવા જેવું તેણે કંઈ કર્યું નથી; તેની વિરુદ્ધના તેમના આરોપો તેમના પોતાના નિયમશાસ્ત્રના પ્રશ્ર્નો સંબંધીના છે.


જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે જરા પણ વિલંબ કર્યા વગર હું બીજે જ દિવસે ન્યાયાલયમાં જઈને બેઠો અને એ માણસને અંદર લાવવાનો હુકમ કર્યો.


પણ મોતની સજા થાય તેવો કોઈ ગુનો તેણે કર્યો હોય તેવું મને જણાતું નથી. વળી તેણે પોતે સમ્રાટને અપીલ કરી હોવાથી મેં તેને તેમની સમક્ષ રોમ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.


ફેસ્તસ તેમની સાથે બીજા આઠથી દસ દિવસ રહ્યો અને પછી કાઈસારિયા ગયો. બીજે દિવસે તેણે ન્યાયાસન પર પોતાનું સ્થાન લઈને પાઉલને ત્યાં અંદર લાવવાનો હુકમ કર્યો.


તેઓ વિખેરાયા પછી તેમણે પરસ્પર કહ્યું, “આ માણસે મોત કે કેદની સજા થાય તેવો કોઈ ગુનો કર્યો નથી.”


તેમણે મને પ્રશ્ર્નો પૂછયા અને મને મુક્ત કરવા તૈયાર હતા, કારણ, મને મોતની સજા થાય તેવો કોઈ ગુનો મેં કર્યો ન હતો.


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan