Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું હતું, પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરાશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:5
16 Iomraidhean Croise  

તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી.


તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.


હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ તે તો પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”


તેથી યોહાને એ બધાને કહ્યું, “હું તમારું બાપ્તિસ્મા પાણી દ્વારા કરું છું, પણ મારા કરતાં જે મહાન છે તે આવનાર છે. હું તેમનાં ચંપલ ઉતારવા માટે પણ યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્મા અને અગ્નિથી કરશે.


યોહાને જવાબ આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મયે જે એક ઊભા છે તેમને તમે ઓળખતા નથી;


મને ખબર નહોતી કે તે કોણ હશે. પરંતુ ઇઝરાયલને તેમની ઓળખ થાય તે માટે હું પાણીથી બાપ્તિસ્મા આપું છું.”


હું તેમને ઓળખી શક્યો નહોતો, પરંતુ મને પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલનાર ઈશ્વરે મને કહ્યું હતું, ‘તું આત્માને જેના પર ઊતરતો અને સ્થિર થતો જોઈશ, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર હશે.”


પિતરની સાથે જોપ્પાથી જે યહૂદી વિશ્વાસીઓ આવ્યા હતા તેઓ વિસ્મય પામ્યા કે ઈશ્વરે બિનયહૂદીઓને પણ પવિત્ર આત્માની ભેટ આપી છે.


પાઉલે કહ્યું, “પોતાનાં પાપથી પાછા ફરનારાઓ માટે યોહાનનું બાપ્તિસ્મા હતું; અને તેણે ઇઝરાયલી લોકોને તેના પછીથી આવનાર ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાનું કહ્યું હતું.”


તે જ પ્રમાણે યહૂદીઓ કે બિનયહૂદીઓ, ગુલામ કે સ્વતંત્ર - આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ, અને આપણ સૌને એક જ આત્મા પીવડાવવામાં આવ્યો છે.


ત્યારે આપણાં કોઈ સર્ત્ક્યોને લીધે નહિ, પણ ઈશ્વરે તેમની દયાને લીધે આપણને શુદ્ધ કરનાર જળ દ્વારા નવો જન્મ અને પવિત્ર આત્મા દ્વારા નવજીવનની તાજગી પમાડીને ઉગાર્યા.


Lean sinn:

Sanasan


Sanasan