Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:18 - પવિત્ર બાઇબલ C.L.

18 કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનો અંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:18
18 Iomraidhean Croise  

દાવિદની આગળ રાજદ્વારી સંરક્ષકો પસાર થઈ રહ્યા હતા. વળી, ગાથમાંથી દાવિદ રાજા સાથે આવેલા કરેથીઓ અને પેલેથીઓના છસો સૈનિકો પણ પસાર થયા.


યોઆબ ઇઝરાયલના લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા કરેથી અને પલેથી અંગરક્ષકોનો ઉપરી હતો.


સાદોક અને અબ્યાથાર યજ્ઞકારો હતા. યાઈર નગરનો ઈરા પણ દાવિદનો યજ્ઞકાર હતો.


તેથી અબિશાયની સાથે યોઆબના માણસો, કરેથીઓ અને પલેથીઓમાંના સંરક્ષકો અને બીજા સર્વ સૈનિકો યરુશાલેમ છોડીને શેબાનો પીછો કરવા ગયા.


તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા.


તેમણે સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોને શલોમોનની સાથે મોકલ્યા હતા. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો હતો;


પણ યજ્ઞકાર સાદોક, યહોયાદાનો પુત્ર બનાયા, સંદેશવાહક નાથાન, શિમઈ, રેઇ અને દાવિદના અંગરક્ષકો અદોનિયાના પક્ષમાં નહોતા.


પછી શલોમોન રાજાએ બનાયાને આજ્ઞા કરી એટલે તેણે જઈને અદોનિયાને મારી નાખ્યો.


સેનાપતિ: યહોયાદાનો પુત્ર બનાયા. યજ્ઞકારો: સાદોક અને અબ્યાથાર.


પ્રાદેશિક અધિકારીઓનો ઉપરી: નાથાનનો પુત્ર અમાર્યા. રાજાનો સલાહકાર અને મિત્ર: નાથાનનો પુત્ર ઝાબૂદ.


પણ સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે રાજવી અંગરક્ષકોના અધિકારીઓ અને રાજમહેલના સંરક્ષકોના અધિકારીઓને આમંત્રણ પાઠવી પ્રભુના મંદિરમાં બોલાવ્યા અને પોતાની યોજના અન્વયે તેણે તેમની સોગંદપૂર્વક સંમતિ લીધી. તેણે તેમને રાજા અહાઝયાનો પુત્ર યોઆશ બતાવ્યો.


કાબ્સએલના વતની યહોયાદાનો પુત્ર બનાયા પરાક્રમી યોદ્ધો હતો. મોઆબના બે મહાન યોદ્ધાઓને મારી નાખવા ઉપરાંત તેણે બીજાં ઘણાં પરાક્રમી કામો કર્યાં હતાં. એક દિવસે હિમવર્ષા થતી હતી ત્યારે તેણે બોડમાં જઈને સિંહને મારી નાખ્યો હતો.


યહોયાદાનો પુત્ર બનાયા દાવિદના અંગરક્ષકોનો ઉપરી હતો; અને દાવિદ રાજાના પુત્રો તેની સેવામાં રહેનાર મુખ્ય પદાધિકારીઓ હતા.


તેથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું પલિસ્તીઓ પર પ્રહાર કરીશ. હું કેરેથીઓને નાબૂદ કરી નાખીશ અને સમુદ્રકિનારાના બાકીના બધા લોકોનો વિનાશ કરીશ.


હે સમુદ્ર કિનારે વસતા પલિસ્તીઓ, તમારું આવી બન્યું છે. પ્રભુએ તમને સજા ફટકારી દીધી છે. તે તમારો નાશ કરશે, અને તમારામાંથી કોઈ બચી જશે નહિ.


અમે કેરેથીઓના પ્રદેશ પર, યહૂદિયાના દક્ષિણ ભાગ પર અને કાલેબના ગોત્રના પ્રદેશ પર ચઢાઈ કરી હતી અને અમે સિકલાગ બાળી નાખ્યું.”


Lean sinn:

Sanasan


Sanasan