Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:9 - પવિત્ર બાઇબલ C.L.

9 કિલ્લો જીતી લીધા પછી દાવિદ તેમાં રહ્યો અને તેને ‘દાવિદનું નગર’ એવું નામ આપ્યું. પર્વતની પૂર્વ બાજુએ જ્યાં જમીનમાં પૂરાણ કરવામાં આવ્યું હતું ત્યાંથી શરૂ કરીને તેણે તેની આજુબાજુ નગર બાંધ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દાઉદ તે કિલ્‍લામાં રહ્યો, ને તેણે તેનું નામ ‘દાઉદનગર’ પાડ્યું. અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દાઉદ તે કિલ્લામાં રહેવા લાગ્યો અને તેનું નામ દાઉદનગર પાડ્યું. દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં બાંધકામ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દાઉદ ગઢમાં રહેતો અને તેનું નામ “દાઉદનગર” પાડયું. ત્યાર બાદ તેણે મિલ્લો બાંધ્યો અને નગરની અંદર બીજા મકાનો બાંધ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:9
16 Iomraidhean Croise  

(પણ દાવિદે તો એમનો સિયોનનો કિલ્લો જીતી લીધો અને તે ‘દાવિદનગર’ તરીકે જાણીતો થયો.)


તે દિવસે દાવિદે પોતાના માણસોને કહ્યું, “જેઓ યબૂસીઓ પર હુમલો કરવા તત્પર હોય તેઓ ભૂગર્ભ જળમાર્ગે જઈને એ આંધળા અને અપંગો એટલે દાવિદના શત્રુઓ પર ત્રાટકે. (તેથી જ આવી કહેણી થઈ પડી છે કે, “આંધળા અને અપંગો પ્રભુના ઘરમાં પ્રવેશશે નહિ.”


તે દિવસે દાવિદને પ્રભુનો ડર લાગ્યો અને તેણે કહ્યું, “હવે હું પ્રભુની કરારપેટી મારે ત્યાં કેવી રીતે લઈ જાઉં? તેથી તે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ જવા માગતો નહોતો અને પાછા વળીને ગાથ નગરના નિવાસી ઓબેદ-અદોમના ઘેર લઈ ગયો.


તેના બંડની વાત આવી છે: શલોમોન યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરાવતો હતો અને નગરના કોટની મરામત કરાવતો હતો.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


શલોમોન રાજાએ પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધવા, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરવા અને નગરનો કોટ બાંધવા વેઠિયાઓનો ઉપયોગ કર્યો. તેણે તેમનો ઉપયોગ હાસોર, મગિદ્દો અને ગેઝેર નગરો બાંધવામાં પણ કર્યો.


ઇજિપ્તના રાજાની દીકરી શલોમોનની પત્ની દાવિદનગરમાંથી શલોમોને તેને માટે બાંધેલા મહેલમાં રહેવા ગઈ તે પછી શલોમોને શહેરની પૂર્વગમની જમીનમાં પુરાણ કર્યું.


યોઆશ રાજાના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કર્યું, અને તેઓમાંથી બે જણે એટલે, શિમીથના પુત્ર યોઝાખારે અને શોમેરેના પુત્ર યહોઝાબાદે તેને સિલ્લા જવાને રસ્તે, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરી તે પર બાંધેલા ઘરમાં તેને મારી નાખ્યો. યોઆશને દાવિદ- નગરમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો.


ટેકરીની પૂર્વ તરફ જ્યાં જમીનનું પુરાણ થઈ ગયું હતું. ત્યાંથી શરૂ કરી તેણે શહેરને ફરીથી બાંધ્યું. બાકીના શહેરને યોઆબે સમાર્યું.


રાજાએ કોટનું સમારકામ કરાવી તે પર બુરજો બંધાવ્યા અને બહારની દીવાલ બાંધી શહેરની સંરક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવી. વળી, તેણે યરુશાલેમના પ્રાચીન ભાગની પૂર્વ બાજુની જમીન પર બાંધેલા સંરક્ષણકામનું સમારકામ કરાવ્યું. તેણે પુષ્કળ ભાલા અને ઢાલો પણ બનાવડાવ્યાં.


કોલહોઝેનો પુત્ર શાલ્લૂમ, જે મિસ્પા જિલ્લાનો અધિકારી હતો. તેણે “ઝરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેણે દરવાજા પર છાપરું કર્યું, બારણાં ચડાવ્યાં અને તેના નકુચા તથા પાટિયાં બેસાડયાં. તેણે રાજાના બગીચાની નજીક શેલા તળાવ પર દાવિદનગરમાંથી ચડવાની સીડી સુધીનો કોટ બાંધ્યો.


યરુશાલેમ નગર તો સુંદર, સુવ્યવસ્થિત અને સુગઠિત રીતે બંધાયેલું છે.


અરે, વેદી, ઈશ્વરની વેદી યરુશાલેમ! તારું આવી બન્યું જાણ! હે દાવિદની છાવણીના નગર! તારી દુર્દશા થવાની છે! વર્ષોવર્ષ પર્વોત્સવનું ચક્ર ચાલ્યા કરે છે.


પણ જો એ રીતે વર્ત્યા ન હો તો અબિમેલેખમાંથી અગ્નિ ફાટી નીકળો અને શખેમ તથા બેથ-મિલ્લોના લોકોને બાળીને ભસ્મ કરી નાખો. શખેમ અને બેથ-મિલ્લોના લોકોમાંથી અગ્નિ ફાટી નીકળો અને અબિમેલેખને ભસ્મ કરી નાખો.”


પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan