Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી ઇઝરાયલનાં સર્વ કુળોએ દાવિદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “અમારે તમારી સાથે લોહીની સગાઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી ઇઝરાયલનાં સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યાં. તેઓએ કહ્યું, “જુઓ, અમે તમારા હાડકાના તથા તમારા માંસના છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી ઇઝરાયલના સર્વ કુળોએ દાઉદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “જુઓ, અમે તારા પિતરાઈઓ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:1
13 Iomraidhean Croise  

ત્યારે લાબાને કહ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે.” યાકોબ તેને ત્યાં એક માસ રહ્યો.


તમે તો મારા સંબંધીઓ, મારા હાડમાંસના છો. મને પાછો લઈ જવામાં તમે છેલ્લા કેમ?”


વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.”


દાવિદના શબ્દોએ યહૂદિયાના સર્વ માણસોની સંપૂર્ણ વફાદારી જીતી લીધી અને તેમણે તેને તેના સર્વ અધિકારીઓ સાથે પાછા ફરવા સંદેશો મોકલ્યો.


ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા.


યોઆબ અને તેના માણસોએ અસાહેલનું શબ લઈને બેથલેહેમમાં તેમના કુટુંબની કબરમાં દફનાવ્યું. પછી તેઓ આખી રાત ચાલીને વહેલી સવારે હેબ્રોન પાછા આવ્યા.


(કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ).


તો તમારા ઈશ્વર પ્રભુ જેને પસંદ કરે તેની જ રાજા તરીકે નિમણૂક કરવી. તે તમારા પોતાના લોકોમાંનો જ હોવો જોઈએ. કોઈ પરદેશીની રાજા તરીકે નિમણૂંક કરવી નહિ.


જેમને તે સંતાનો કહે છે તે માનવ પ્રકૃતિ ધરાવે છે. તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા; જેથી તે પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કરે.


એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો એગ્લોનથી પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનમાં ગયા અને તેના પર હુમલો કર્યો,


“તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.”


Lean sinn:

Sanasan


Sanasan