Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:35 - પવિત્ર બાઇબલ C.L.

35 દાવિદ કંઈ ખાય તે માટે લોકોએ આખો દિવસ પ્રયાસ કર્યો. પણ તેણે સોગંદ ખાધા, “દિવસ પૂરો થયા પહેલાં હું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારો નાશ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને દાઉદને દિવસ છતાં અન્‍ન ખવડાવવા માટે સર્વ લોકો તેની પાસે આવ્યા. પણ દાઉદે સમ ખાઈને કહ્યું, “સૂર્યાસ્ત થયા પહેલાં જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મને તેવું ને તેથી પણ વધારે વિતાડો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 લોકો સૂર્યાસ્ત અગાઉ દાઉદને ભોજન કરાવવાં તેની પાસે આવ્યા, પણ દાઉદે સોગન લીધા કે, “સૂર્યાસ્ત થયા અગાઉ જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારું મૃત્યુ લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 તે દિવસે દાઉદે કંઇજ ખાધું નહિ, લોકોએ તેમને ખાવા માંટે વિનંતી કરી પરંતુ દાઉદે એક ખાસ સમ લીધા, “જો હું સૂર્યાસ્ત પહેલા રોટલી કે કાંઇપણ ખાઉં તો દેવ મને સજા કરે અને ઘણા દુ:ખ આપે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:35
13 Iomraidhean Croise  

શાઉલ તથા યોનાથાન માટે, ઇઝરાયલ માટે અને પ્રભુના લોકો માટે દુ:ખી થઈને તેઓ શોક તથા વિલાપ કરવા લાગ્યા અને સાંજ સુધી ઉપવાસ કર્યો. કારણ, લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા હતા.


તેના રાજદરબારીઓએ તેની પાસે જઈને તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ તેણે ઇનકાર કર્યો અને તેમની સાથે કંઇ ખાધું નહિ.


ન તો તેના હાથ બાંધેલા હતા, ન તો તેના પગ સાંકળે બાંધેલા હતા. છતાં જેમ ખૂનીઓને હાથે કોઈ માર્યો જાય તેમ તે માર્યો ગયો.”


એ વાત લક્ષમાં લઈને તેઓ સૌ ખુશ થયા. વાસ્તવમાં, રાજા જે કાંઈ કરતો તેનાથી લોકો ખુશ થતા.


પ્રભુએ દાવિદને વરદાન આપ્યું છે કે તે શાઉલ અને તેના વંશજો પાસેથી રાજ્ય લઈ લેશે અને દાવિદને દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશ પર ઇઝરાયલ અને યહૂદિયા બંનેનો રાજા બનાવશે. જો હું આ વાત સાચી ન ઠેરવું તો ઈશ્વર મને મારી નાખો.”


તેથી ત્યાંના શૂરવીર માણસો ત્યાં જઈને શાઉલ અને તેના પુત્રોનાં શબ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં એક મસ્તગીવૃક્ષ નીચે તેમણે તેમને દફનાવ્યા અને સાત દિવસ શોક પાળ્યો.


સ્નેહીજનના મૃત્યુ પ્રસંગે શોક્તિોને દિલાસો આપવા માટે કોઈ તેમને જમાડશે નહિ, અરે, કોઈનાં માતપિતા મરી ગયાં હોય તોપણ દિલાસાનો પ્યાલો પીવડાવશે નહિ.


ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.”


ત્યારે હઝકિયેલે જેમ કર્યું છે તેમ તમે પણ કરશો. તમે તમારાં મોં ઢાંકશો નહિ કે શોક ભોજનમાંથી ખાશો નહિ.


પછી સર્વ ઇઝરાલીઓએ બેથેલમાં જઈને શોક કર્યો. તેઓ છેક સાંજ સુધી કંઈપણ ખોરાક ખાધા વિના પ્રભુ સમક્ષ બેસી રહ્યા. તેમણે પ્રભુ સમક્ષ પૂર્ણ દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.


જ્યાં તમે મરણ પામશો ત્યાં જ હું પણ મરણ પામીશ અને ત્યાં જ મારું દફન થશે. જો હું મરણ સિવાય બીજા કશાથી તમારાથી વિખૂટી થાઉં તો પ્રભુ મારી ખુવારી કરી નાખો.”


એલીએ તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું? મારાથી કંઈ છુપાવીશ નહિ; તેમણે જે કહ્યું તે બધું તું મને નહિ કહે તો પ્રભુ તને તે કરતાં વધારે શિક્ષા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan