Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:20 - પવિત્ર બાઇબલ C.L.

20 કાબ્સએલ નગરના યહોયાદાનો પુત્ર બનાયા બીજો એક ખ્યાતનામ સૈનિક હતો. તેણે મોઆબના બે નિપુણ યોદ્ધાઓને મારી નાખ્યા. વળી, એકવાર હિમવર્ષાના દિવસે તેણે કોતરમાં જઈને એક સિંહને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કાબસેલના શૂરવીર ને પરાક્રમી કૃત્યો કરનાર માણસના દિકરા યહોયાદાના દિકરા બનાયાએ મોઆબના અરીએલ [ના] બે [દિકરા] ને મારી નાખ્યા, વળી એક સમયે હિમ પડતું હતું તે વખતે તેણે કોતરમાં ઊતરીને સિંહને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 બનાયા, કાબ્સએલના શૂરવીર તથા પરાક્રમી કૃત્યો કરનાર યહોયાદાનો દીકરો હતો. તેણે મોઆબના અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી હિમ પડવાના દિવસો હતા ત્યારે એક દિવસે તેણે ખાડામાં ઊતરીને સિંહને મારી નાખ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોયાદાનો પુત્ર કાબ્સએલનો બનાયા પણ શૂરવીર પુરુષ હતો અને તેણે અનેક શૂરવીર કાર્યો કર્યા હતા. તેણે મોઆબના અરીએલના બે બળવાન પુત્રોને માંરી નાખ્યા હતા, અને એક દિવસે જ્યારે બરફ પડતો હતો, તેણે એક ખાડામાં ઊતરીને એક સિંહને માંર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:20
19 Iomraidhean Croise  

“શાઉલ અને યોનાથાન પ્રિય અને મનોહર હતા, જીવતા હતા ત્યારે સાથે હતા અને મરતી વખતે પણ સાથે રહ્યા. તેઓ ગરુડ કરતાં વિશેષ વેગવાન અને સિંહ કરતાં બળવાન હતા.”


યોઆબ ઇઝરાયલના લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા કરેથી અને પલેથી અંગરક્ષકોનો ઉપરી હતો.


તે “ત્રીસ” માં સૌથી વધારે પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.


એકવાર ભાલાથી સજ્જ એવા ઇજિપ્તીને તેણે મારી નાખ્યો. બનાયાએ તેના પર લાકડી વડે હુમલો કર્યો અને ઇજિપ્તીના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈને તેને તે વડે મારી નાખ્યો.


ત્રીસ શૂરવીરોમાંનો એક એટલે બનાયાનાં એ પરાક્રમો છે.


કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા.


પણ તેણે મને, સાદોક યજ્ઞકારને, બનાયાને કે તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી.


તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા.


પણ યજ્ઞકાર સાદોક, યહોયાદાનો પુત્ર બનાયા, સંદેશવાહક નાથાન, શિમઈ, રેઇ અને દાવિદના અંગરક્ષકો અદોનિયાના પક્ષમાં નહોતા.


પછી રાજાએ બનાયાને હુકમ કર્યો એટલે તેણે જઈને શિમઈને મારી નાખ્યો. હવે શલોમોનની રાજસત્તા દ્રઢ બની.


દાવિદ વેરાનપ્રદેશમાં ગઢમાં હતો ત્યારે તેના સૈન્યમાં ગાદના કુળમાંથી જોડાનાર યુદ્ધકુશળ શૂરવીર સૈનિકોનાં નામ આ છે. તેઓ ઢાલ અને ભાલા વાપરવામાં પાવરધા હતા. વળી, સિંહના જેવા વિકરાળ અને પહાડી હરણના જેવા ચપળ હતા.


યહોયાદાનો પુત્ર બનાયા દાવિદના અંગરક્ષકોનો ઉપરી હતો; અને દાવિદ રાજાના પુત્રો તેની સેવામાં રહેનાર મુખ્ય પદાધિકારીઓ હતા.


અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.


અદોમની સરહદ નજીકના દક્ષિણના સૌથી છેવાડા ભાગમાં આવેલાં નગરો આ પ્રમાણે છે: કાબ્સએલ, એદેર, યાગૂર;


Lean sinn:

Sanasan


Sanasan