Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:19 - પવિત્ર બાઇબલ C.L.

19 રાજા નદી ઓળંગવાની તૈયારીમાં હતો તેવામાં શિમઈએ તેની આગળ આવીને ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે યરુશાલેમ છોડીને જતા હતા, તે દિવસે મેં આચરેલી દુષ્ટતા હવે સ્મરણમાં લાવશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેણે રાજાને કહ્યું, “મારા મુરબ્બીએ મારો દોષ ન ગણવો. તેમ જ જે દિવસે મારા મુરબ્બી રાજા યરુશાલેમથી નીકળ્યા, ત્યારે તમારા ચાકરે જે દુષ્ટતા કરી, તે યાદ કરીને રાજાએ પોતાના મનમાં ખોટું ન લગાડવું

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 શિમઈએ રાજાને કહ્યું, “મારો માલિક મને દોષી ન ગણે. મારા માલિક રાજા જે દિવસે યરુશાલેમ છોડીને ગયા ત્યારે મેં જે ખોટાં કામો કર્યા તે યાદ કરીશ નહિ. કૃપા કરી રાજાએ મનમાં ખોટું લગાડવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેણે રાજાને વિનંતી કરી અને કહ્યું, “ઓ પ્રભુ માંરા ખોટા કાર્યોને જ્યારે આપ યરૂશાલેમ છોડી ગયા, ત્યારે મેં જે ખરાબ કાર્યો કર્યા હતા, તે કૃપા કરી સંભારશો નહિ, ને તેના વિષે વિચાર કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:19
17 Iomraidhean Croise  

તેના ભાઈ આબ્શાલોમે તેને જોઈ ત્યારે તેણે તેને પૂછયું, “શું આમ્નોને તને સતાવી છે? બહેન, એથી બહુ દુ:ખી થઈશ નહિ. તે તારો સાવકો ભાઇ છે.” એમ તામાર આબ્શાલોમને ઘેર ત્યક્તા તરીકે ઉદાસ સ્થિતિમાં રહી.


તેથી હે રાજા, મારા માલિક, તમારા બધા જ પુત્રો મારી નાખવામાં આવ્યા છે એવા સમાચાર માની લઈને દુ:ખી થશો નહિ. માત્ર આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે.”


રાજાના પરિવારને નદી પાર કરાવીને રાજાને પ્રસન્‍ન કરવા તેઓ નદીની સામે પાર ગયા.


ધન્ય છે એ વ્યક્તિને કે જેના પર પ્રભુ ભૂંડાઈ આચરવાનો દોષ મૂક્તા નથી, અને જેનાં હૃદયમાં કંઈ કપટ નથી.


હે ઈશ્વર, અમારા પૂર્વજોના પાપોને લીધે એમને સજા ન કરો. તમારી અનુકંપા અમને જલદી આવી મળો; કારણ, અમે ખૂબ નાસીપાસ થઈ ગયા છીએ.


જો તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તોપણ તારું સ્થાન છોડી દઈશ નહિ. કારણ, શાંતિ જાળવવાથી ગંભીર અપરાધોની પણ માફી મળી જાય છે.


છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં.


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


તેથી આરોને મોશેને કહ્યું, “મારા સ્વામી, મૂર્ખાઈમાં અમે પાપ કરી બેઠાં છીએ; માટે અમારા પર દયા કરો અને અમને સજા ન કરો.


એક નિર્દોષ ખૂન કરાવવા દગો કરીને મેં પાપ કર્યું છે. તેમણે જવાબ આપ્યો, તેમાં અમારે શું? તારું પાપ તારે માથે!


ઈશ્વર સર્વ માણસોને ખ્રિસ્તની મારફતે પોતાના મિત્રો બનાવે છે, એ જ અમારો સંદેશો છે. માણસોએ કરેલાં પાપોની ઈશ્વરે તેમની વિરુદ્ધમાં નોંધ રાખી નહિ; પણ તે કેવી રીતે તેમને તેમના મિત્રો બનાવે છે તે અંગેનો સંદેશો તેમણે અમને આપેલો છે.


આ વખતે મેં કંઈ પ્રથમ જ વાર તેને માટે ઈશ્વરની સલાહ પૂછી નહોતી. મારી કે મારા કુટુંબમાંના કોઈની પર તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ રાજાએ ન મૂકવો જોઈએ. આ વાત વિષે હું કંઈ જાણતો નથી.”


તે તેના નામ પ્રમાણે મૂર્ખ જ છે.


શાઉલે જવાબ આપ્યો, “મેં ખોટું કર્યું છે. મારા પુત્ર દાવિદ, પાછો આવ. હું તને ફરી કદી ઇજા નહિ પહોંચાડું. કારણ, તેં આજે રાત્રે મારો જીવ મૂલ્યવાન ગણ્યો છે. હું તો મૂર્ખાઈ કરીને ભારે ભૂલ કરી રહ્યો છું.”


Lean sinn:

Sanasan


Sanasan